Breaking NewsLatest

10મી મે ના રોજ નવસારી ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર વિભાગની 15 બસો દોડશે

10મી મે એ નવસારીમાં પ્રધાનમંત્રી નો કાર્યક્રમ અંતર્ગત ભાવનગર એસટી ની 15 બસો દોડવામાં આવશે, જેમાં ભીડ ભેગી કરવા માટે એસ.ટી.ના વાહનોનો ઉપયોગ કરશે આ માટે ભાવનગર વિભાગની 15 બસ મળીને રાજ્ય 12 ડિવિઝન ની કુલ 2200 બસ ફાળવવાનો આદેશ કરી દેવાયો છે, આ ઉપરાંત ત્રણ દિવસ સુધી તમામ વિભાગો રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ શરૂ કરવા જણાવી દેવાયું છે.

પીએમ મોદીના નવસારી ખાતે યોજાનાર કાર્યક્રમમાં વલસાડ, ડાંગ, નવસારી, સુરત અને તાપી જિલ્લામાંથી લોકોને બસ માર્ગે કાર્યક્રમ સ્થળે લાવવા લઇ જવા માટે એસટી વિભાગ ની 2200 બસની માગણી કરવામાં આવી છે જેમાં ભાવનગર વિભાગની 15 બસ પીએમ કાર્યક્રમ માટે દોડાવાશે.

જ્યારે કાર્યક્રમ દરમિયાન એક્સપ્રેસ રૂટો કેન્સલ ન થાય તે માટે આગોતરું આયોજન કરવા તેમજ મુસાફરોને અગવડતા ન પડે તે માટે ગેરહાજરી ઉપર અંકુશ મેળવી મહત્તમ ફરજોનું સંચાલન હાથ ધરી અને લોકલ રૂટનું સંચાલન હાથ ધરવા તેમજ આ કાર્યક્રમને લઈ તા.9 મી મે થી 11 મે સુધી તમામ વિભાગોને 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરી અધિકારી સહિતની ફરજ સોંપવાના આદેશ કરવામાં આવ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *