Breaking NewsLatest

32-ભિલોડા ધારાસભ્યશ્રી ડૉ અનિલભાઈ જોશીયારાનું દુઃખદ અવસાન થતા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના આદર્શ વ્યક્તિત્વ ધરાવતા સ્વભાવે સરળ અને સૌમ્ય પ્રકૃતિ ધરાવતા લોકપ્રિય ધારાસભ્યશ્રી અને પૂર્વ આરોગ્ય મંત્રીશ્રી ગુજરાત રાજ્ય
ડૉ.અનિલભાઈ જોશિયારા સાહેબનું કોરોના ના કારણે દુઃખદ અવસાન થતા ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવતાં અરવલ્લી જિલ્લા આયોજન અધિકારીશ્રી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું
ડોકટર સાહેબ ના અવસાનથી અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે તેઓશ્રી રાજ્યના નાણાકીય હિસાબો અને બજેટ સંબંધી બાબતો ના જાણકાર હતા.
ગુજરાત રાજ્ય સરકારશ્રી તરફથી પણ તેમની તબીબી સારવાર અર્થે ખુબજ કાળજી લેવામાં આવી હતી
તેઓ સૌ ના દિલમાં આગવું સ્થાન ધરાવતા હતા.

ટ્રાયબલ તાલુકા મેઘરજ અને ભિલોડા વિસ્તારના મહત્વના પ્રશ્નોની જિલ્લા સંકલન તેમજ સરકારશ્રીમા તેમજ વિધાનસભામાં અસરકારક રજૂઆત કરી બંને તાલુકા સહિત અરવલ્લી જિલ્લાના વિકાસ મા તેઓશ્રીના મહત્વનું યોગદાન રહ્યું છે

તેઓશ્રીના દિવ્ય આત્માની શાંતિ માટે પરમાત્માને પ્રાર્થના

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 692

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *