Latest

વલભીપુર અકસ્માત 6 ના મોત

રિપોર્ટર. ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

ભાવનગરના વલભીપુર તાલુકામાં આઇસર ગાડી પલટી મારી જતા ભડભીડ ગામના છ મજૂરોના ઘટના સ્થળ પર કમ કમાટી ભર્યા મોત નીપજ્યાં બોટાદના જીંજાવદર ગામથી ભાવનગર લીલુંઘાસ ભરીને આવી રહ્યા હતા એ દરમિયાન મેવાસા ગામ નજીક આઇસર ગાડીનું ટાયર ફાટતા 10 ફૂટ નીચે પાણી ભરેલા ખાડામાં ખાબકતા છ મજૂરો દબાયા હતા જેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું જ્યારે અન્યને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

ભાવનગરના વલભીપુરમાં કરુણાતી કા ઘટના સામે આવી છે જેમાં આઇસર ગાડી પલટી મારી જતા 6 મજૂરો દબાયા હતા હાલ જે પ્રમાણે જાણકારી મળી રહી છે તે મુજબ નવઘણભાઈ રાઠોડ ઉ.21, કાવાભાઈ મકવાણા ઉ..45, સિતુભાઈ ચૌહાણ 58, અલ્પેશભાઈ વેગડ ઉ.22, મનીબેન રાઠોડ ઉ.19, કોમલબેન રાઠોડ ઉ.16 નું મોત થયું હતું જ્યારે એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજા પહોંચી હતી

જેને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઇ વલભીપુર તાલુકા હોસ્પિટલ ખાતે રાજકીય નેતાઓ અને આગેવાનો દોડી આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા બનાવા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે લોકોના મોત નીપજતા ડિવાઇસપી સહિતનો પોલીસનો કાફલો સામૂહિક આરોગ્ય કેન્દ્ર વલભીપુર ખાતે દોડી આવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *