Latest

આંબેડકરજીના અધૂરા સંકલ્પોને સાકાર કરવા માટે ઉડાન સંસ્થાની સ્થાપના ડો કિરીટભાઈએ કરી છે: શ્રીમતી અંજુબાલા

બિહાર: બિહારના પાટનગર પટના ખાતે શ્રીમતી અંજુબાલા , મેમ્બર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ભારત સરકાર વ અધ્યક્ષ ઉડાન મહિલા વિંગ એ ઉડાન બિહાર રાજ્યની પ્રથમ બેઠકને સંબોધીત કરી હતી. અને જણાવ્યું હતું કે ડો શ્રી કિરીટભાઇ સોલંકી સાંસદ, અમદાવાદ પશ્ચિમ, પેનલ, સ્પીકર લોકસભા , ચેરમેન અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિ એ તેમના અધ્યક્ષ સ્થાને SC/ST ઉપરાંત વિવિધ સમાજના ગરીબ અને જરુરિયાત મંદ લોકોના કલ્યાણ માટે “ઉડાન ” ની ગત તારીખ ૧૨ ફેબ્રુઆરી ના રોજ ડો બાબા સાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ સેંટર નવી દિલ્હી ખાતે ડો આંબેડકર ‌સાહેબના સમાજ વિકાસનાં અધુરા રહી ગયેલા સંકલ્પોને સાકાર કરવા માટે સ્થાપના કરી હતી.

શ્રીમતી અંજુ બાલા, અધ્યક્ષ ઉડાન મહિલા વિંગ એ વધુ મા જણાવ્યું હતું કે વિવિધ ક્ષેત્રોમાં સક્રિય મહિલા કાર્યકરોના જન સમુહ થકી સમાજની તમામ મહિલાઓને ઉડાન સાથે જોડવામાં આવશે.અને સરકાર શ્રી ની કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મહિલાઓને સરળતાથી મળી રહે તે માટેના સક્રીય પ્રયાસો કરવામાં આવશે.

ઉડાનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો કિરીટભાઈ સોલંકીની સાથે રહીને આંતરાષ્ટ્રીય કક્ષાએ ઉડાન સંસ્થાની સ્થાપના કરવામાં મહત્વપૂર્ણ કામગીરી કરનાર રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ઉડાન શ્રી અરુણ કુમાર સાધુનો પણ આજના દિવસે આભાર પ્રગટ કરવાની સાથે ઉડાન સંસ્થાના તમામ પદાધિકારીઓની લોક કલ્યાણ કામગીરીની સરાહના કરી હતી. અને ઘોષણા કરી હતી કે ઉડાન સંસ્થાનાં ઉપક્રમે આગામી સમયમાં “ઉડાન રાષ્ટ્રીય મહિલા કેડર કેમ્પ” નું પણ આયોજન કરવામાં આવશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *