Latest

વિશ્વ એઇડ્સ દિવસ અંતર્ગત આદ્યશક્તિ જનરલ હોસ્પીટલ અંબાજી દ્વારા જનજાગૃતિ સભા અને રેલીનું આયોજન કરાયું

૧ લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે એઇડ્સ રોગથી લોકોને માહિતગાર કરવા માટે આદ્યશક્તિ જનરલ હોસ્પીટલ અંબાજી ખાતે જનજાગૃતિ સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત આદ્યશક્તિ હોસ્પીટલના અધિક્ષકશ્રી વાય કે.મકવાણા, જનરલ સર્જનશ્રી મનસુખ પટેલ, નર્સિંગ કૉલેજના વાઇસ પ્રિન્સિપાલસુશ્રી કોમલબેન અને દાતા તાલુકાના રેડક્રોસના પ્રમુખશ્રી અને રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રી મહેન્દ્રભાઈ અગ્રવાલ, આઈસીટીસી કાઉન્સિલરશ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા એઇડ્સ અને એચ.આઇ.વીનું માર્ગદર્શન તેમજ સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી.

તેમજ ટ્રાઈબલ યુવકોમાં જનજાગૃતિ વધે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વધુમાં લોકોમાં એઇડ્સ અને એચ.આઇ.વી અંગે સભાનતા અને જાગૃતિ કેળવાય એ માટે અંબાજી નગરમાં રેલી યોજવામાં આવી હતી. જેમાં વિવિધ બેનરો અને સંદેશ દ્વારા લોકોને જાગૃત થવા અપીલ કરવામાં આવી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *