Latest

અંબાજી ૧૦૮ ટીમ ની મહીલા કર્મચારી એ ગબ્બર પર્વત ના ૩૫૦ પગથીયા ચડી ને દર્દી નો જીવ બચાવ્યો

 

આજ રોજ અંબાજી ૧૦૮ ની ટીમ ને ગબ્બર પર્વત ઉપર નો કોલ મળ્યો હતો.
અંબાજી ૧૦૮ ની ટીમ ને તા ૧૩ ના રોજ અંદાજે ૧૨:૩૦ વાગે છાતી મા દુખાવાનો કોલ મળ્યો હતો તાત્કાલિક અંબાજી ૧૦૮ ની ટીમ ના EMT અલકાબેન અને PILOT ગુલાબ સિંહ તાત્કાલીક ઘટનસ્થળે પહોંચી ગયા હતા. અને ત્યાં પહોંચતા માલૂમ પડ્યું હતું કે દર્દી ગોપાલરામ ઉંમર અંદાજીત ૭૮ વર્ષ ગબ્બર ઉપર ચડતા હતા

ત્યારે અંદાજીત ૩૭૦ પગથીયા ચડ્યા અને અચાનક છાતી ના ભાગે દુખાવો થતાં તેમના સગા વહાલા એ એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર ૧૦૮ ને કોલ કર્યો હતો અને ત્યાર બાદ EMT અલ્કા બેન તેમના સાથી પાઇલોટ ગુલાબ સિંહ ની મદદ લઈ ને જરૂરી સ્ટેચર ની સાથે ૩૫૦ પગથીયા ચડી ને દર્દી સુધી પહોંચ્યા હતા અને દર્દી ની તપાસતા માલૂમ પડ્યું હતું કે દર્દી ને છાતી મા ખૂબ જ દુઃખાવો અને ચક્કર અને ઊલ્ટી ઓ થતી હતી તરત જ સ્ટેચર પર દર્દી ને લઈ ને પર્વત ઉપર થી નીચે ઉતર્યા બાદ એમ્બ્યુલન્સ લીધા હતા ત્યાર બાદ અમદાવાદ હેડ ઑફિસ સ્થગીત ડૉ શ્રી ની સલાહ મુજબ જરૂરી સારવાર આપી અને વધુ સારવાર માટે નજીક ની હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

દર્દી ના સગા એ ૧૦૮ ની ટીમ નો આભાર વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે સાચા અર્થમાં ૧૦૮ એ નવ જીવન આપનારી કડી છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *