Latest

અંબાજી : જો ભાદરવા મહિનામાં અંબાજી દર્શન માટે જઇ રહ્યા છો તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે.

અંબાજી તમે ગમે તેટલી વખત ગયા હો પરંતુ જો આ માતાજીના દર્શન નથી કર્યા તો તમને દર્શન કરવાનું ફળ ક્યારે પણ પ્રાપ્ત નહી થાય. અંબાજી માતાના દર્શન કર્યા બાદ અથવા પહેલા આ માતાજીના દર્શન કર્યા બાદ જ અંબાજી જવાનું પુન્ય પ્રાપ્ત થાય છે. જો કે આ અંગે ખુબ જ ઓછા લોકોને ખબર છે અને તેના કારણે અહીં લગભગ બહુ ઓછા લોકો જાય છે. તેના કારણે જ આ મંદિર પણ પ્રમાણમાં ખુબ જ ઓછુ પ્રખ્યાત છે.

અહીં દર્શન કર્યા વગર તમારા અંબેમાતાના દર્શન અધુરા
આ અંગે અંબાજી મંદિરના મુખ્ય પંડિતજીએ જણાવ્યું કે, “અંબાજીમાં માતાજીના દર્શન કર્યાં બાદ અજય માતાના દર્શન કરો તો સંપૂર્ણ દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. અંબે માતાના મોટાબેન અજય માતાનું મંદિરનો આજે પાટોત્સવ પ્રસંગે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.” શક્તિ , ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે, અંબાજી 51 શક્તિપીઠમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. આ ધામમાં અંબાનું પ્રાચીન મંદિર આવેલું છે.

આ મંદિર અંગે ખુબ ઓછા લોકોને માહિતી
જો કે અંબાજી માતાના મોટા બહેન તેવા અજય માતાનું મંદિર પણ અહીં આવેલું છે, ઘણા ઓછા લોકોને ખબર હશે કે, અજય માતા અંબે માતાના મોટાબેન તરીકે પૂજાય છે. અંબાજી મંદિરના માન સરોવર પાસે અજય માતાનું મંદિર આવેલું છે. આ મંદિર મા આજે પાટોત્સવ પ્રસંગે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. મંદિર પર ધજા ચઢાવવામાં આવી હતી. અન્નકુટ આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

શું છે અજય માતાનું ધાર્મિક મહાત્મય
ભગવાન રામે રાવણ નો વધ કરવા અજયબાણ પણ અજય માતા પાસે મેળવ્યું હતું તેવુ પુરાણો માં ઉલ્લેખ થયેલો છે. અજય માતાના મંદિર ખાતે પૂજા અર્ચના અને હવન નો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું મંદિર છે. જો કે તે અંગે ખુબ જ ઓછા લોકોને માહિતી છે. જેથી અંબાજી ટ્રસ્ટ દ્વારા પણ હવે આ મંદિરને ડેવલપ કરવાની સાથે સાથે આ અંગે લોકોને માહિતી આપવાની પણ શરૂઆત કરવામાં આવી છે. જેથી મહત્તમ લોકો આ મંદિરના દર્શનનો લાભ થઇ શકે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 608

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *