Latest

અંબાજીમા રાધાકૃષ્ણ મંદીરથી આરતી કરાયા બાદ રથયાત્રા નિકળી

 

અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી અંબાજી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે.અંબાજી ગુજરાત નું લોકપ્રિય શક્તિપીઠ છે આ ધામ ગુજરાત અને રાજસ્થાન ની સરહદ પર આવેલું છે આ ધામ અરાવલી ના પહાડો મા આવેલું માં અંબા નું પ્રાચીન તીર્થ છે, આ ધામ મા માતાજી નું ભવ્ય મંદિર આવેલું છે.

 

આ સિવાય અન્ય ભગવાન ના મંદિરો પણ આવેલા છે ત્યારે આજે અષાઢી બીજ હોઈ અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ દ્વારા અંબાજી મંદિર પાછળ આવેલા માનસરોવર મા જઈ વિધિ વિધાન થી અષાઢી બીજ ની પુજા કરવામાં આવી હતી ,આ વિધી પ્રાચીન પરંપરા થી ચાલી આવી રહી છે, અષાઢી બીજ થી અંબાજી મંદિર નો સમય બદલાય છે અને હવે આરતી દિવસ મા બે વાર થશે.
આજે અષાઢી બીજ હોઈ અંબાજી મંદિર પાછળ આવેલા રાધાકૃષ્ણ મંદિર થી છેલ્લાં 2 વર્ષથી રથયાત્રા કોરોનાના કારણે નીકાળવામા આવી હતી નહી અને આજે અંબાજીના ગુલઝારી પુરા ખાતે આવેલા રાધા કૃષ્ણ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી.

અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતીના સભ્યો સહીત પ્રમુખ પણ હાજર રહ્યા હતા. અંબાજીના ભક્તો પણ રાધાકૃષ્ણ મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા .રથયાત્રા રાધા કૃષ્ણ મંદિર થી પ્રસ્થાન કરી અંબાજી નગરના માર્ગો પર નિકળી હતી.મહાદેવીયા ધર્મશાળા ખાતે વિસામો પ્રસાદી બાદ રથયાત્રા આગળ નીકળી હતી.આજે વરસાદી માહોલ વચ્ચે અંબાજીના લોકો ભગવાન નાં દર્શન કરવા આવ્યા હતા.2020 અને 2021 મા પણ કોરોના ને પગલે રથયાત્રા નિકળી હતી નહિ. અંબાજી ધાર્મીક ઉત્સવ સેવા સમિતિ નાં પ્રમુખ અને સભ્યો હાજર રહ્યા હતા. બહેનો ગરબા રમતા જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

@@ પોલીસ કાફલો જોડાયો @@

અંબાજી રથયાત્રામા 1 પીઆઈ,1પીએસઆઈ 23 પોલીસ સ્ટાફ અને 10 હોમગાર્ડ જોડાયા હતા

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *