Latest

અંબાજી – મંદિર શ્રી યંત્ર નું વેચાણ યથાવત…..!!!!

અંબાજી મંદિર માં વીસા યંત્ર ની પૂજા તો , શ્રી યંત્ર નું વેચાણ કેમ ??

શું શ્રી યંત્ર ના વેચાણ અંગે અધિકારી આંખ આડા કાન કેમ? શું અધિકારી ની સામેલગીરી???

શ્રી યંત્ર ના સંચાલક ભાઈલાલભાઈ  મોટી ઓળખાણ નો ફાયદો

કે પછી શ્રી યંત્ર નું વેચાણ કરતા પૂજારી માથાભારે હોવાથી ડર ના કારણે કાર્યવાહી નથી કરાતી….???!!!!*
*અંબાજી મંદિર તરફથી અવર નવર વાર નોટિસ આપવા છતાં પણ કોઈ જવાબ નહીં

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી એ લાખો ભક્તો ની આસ્થા નું કેન્દ્રસ્થાન છે જ્યાં દરરોજ હજારો ની સંખ્યા માં ભક્તો નો ઘસારો રહે છે જ્યાં દરેક ની મનોકામના પૂર્ણ કરતી માં આદ્ય શક્તિ માં અંબા ની મૂર્તિ નહીં પરંતુ માતાજી ના વીસ યંત્ર ની પૂજા થાય છે .ત્યારે આ મંદિર માં આવનાર ભક્તો માતાજી ના દર્શન પૂજન ઉપરાંત  પૂજારીઓ દ્વારા ઊભી કરાયેલ “માતાજી ની ગાદી ” ના દર્શન બાદ નીચે ના ભાગે આવેલ બાલા ત્રિપુર સુંદરી માં અને ભૈરવજી ના દર્શન પૂજન માટે જાય છે ત્યાં નવું દૃશ્ય જોવા મળી રહ્યું છે.

અંબાજી મંદિર ની નીચે ના ભાગે આવેલ બાલા ત્રિપુર સુંદરી ના મંદિર માં બેસતા પૂજારી દ્વારા મંદિર માં માતાજી ના “શ્રી યંત્રો “ ગોઠવી ને મૂકી રાખે છે જેથી આવનાર ભક્તો – દર્શનાર્થીઓ ને નજરે પડે અને આટલા બધા પૂજન થયેલા યંત્રો  જોતા યાત્રિકો માં પણ કૌતુહુલ ઊભું થાય છે કે આટલા યંત્રો શા  માટે ?

અને તેનું શું મહત્વ ? ત્યારે આ મહારાજ દ્વારા લક્ષ્મી અને સમૃદ્ધિ પ્રાપ્તિ માટે માતાજી ના શ્રી યંત્ર ની પૂજા નો વિશેષ મહિમા સમજાવી ઊંચા ભાવે ભોળા દર્શનાર્થીઓ ને વેચાણ કરાય છે ત્યારે પ્રશ્ન એ છે કે આવી રીતે માતાજી ના મંદિર માં બેસી યંત્ર વેચાણ ની દુકાન ખોલવાની મંજૂરી આ પૂજારી ને આપી કોણે??

માતાજી ના મંદિર માં કંકુ – ચૂંદડી કે રાજભોગ પ્રસાદ આવતા યાત્રિકો ને વિતરિત કરાય તે યોગ્ય છે પરંતુ લોકો ની આસ્થા નો ફાયદો ઉઠાવી નજીવી કિંમતે બજાર માં મળતા શ્રી યંત્ર ને પૂજન અને સિદ્ધ કરેલ જણાવી ઊંચી કિંમત માં વેચાણ કરી ખિસ્સા ભરતા આવા પૂજારી વિરુદ્ધ અગાઉ પણ લેખિત માં ફરિયાદ અને અરજીઓ થયેલ હોવા છતાં પણ મંદિર તંત્ર ના અધિકારી મૌન કેમ છે??

શા કારણે આ પૂજારી પર  અધિકારીઓ કંઇ કાર્યવાહી કરતા ખચકાય છે? શું આમાં કોઈ અધિકારી ની સામેલગીરી છે ? કે પછી આ પૂજારી જેની અંબાજી ગામ માં માથાભારે ની છાપ છે તેના ડર ને લીધે કાર્યવાહી કરતા અટકાય છે? ત્યારે આવા અનેક પ્રશ્નો વચ્ચે મંદિર તંત્ર ના અધિકારીઓ ની છત્ર છાયા માં પોતાની દુકાનો ચલાવતા આ બની બેસેલા પૂજારીઓ ક્યારેક V I.P દર્શન, તો ક્યારેક ધજા , અને માતાજી ના અભિમંત્રિત કરેલ માદળિયા, યંત્ર વગેરે નું ભોળા યાત્રિકો ને છેતરી ને  ઊંચી કિંમતે વેચાણ કરી પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે ત્યારે કલેકટર અને  મંદિર ના ચેરમેન શ્રી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરાવી ભોળા યાત્રિકો ને છેતરતા અટકાવે અને આવા માથાભારે તત્વો અને તેમનો સાથ આપતા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરે તેવી લોકમુખે માંગણી ઊભી થઈ છે….

રિપોર્ટર….. અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *