Latest

અરવલ્લીઃમોડાસામાં નગરના નાથ નીકળ્યા નગરચર્યાએઃમોડાસામાં યોજાઈ 40 મી રથયાત્રા

રંગેચંગે ઢોલ નગારાંના નાદે અને  ભજન મંડળીના સાથે ભક્તોને દ્વાર પહોંચ્યા જગતના તાત

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લીના મોડાસા ખાતે યોજાઇ ભગવાન જગન્નાથની 40મી રથયાત્રા. મોડાસાના બાલકદાસજી મંદિર ખાતેથી ભગવાનની રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરની યાત્રાએ નીકળ્યા.

ઢોલ નગારા, DJ ના તાલ, ભજન મંડળીમાં ભક્તોનો ઉત્સાહ, ઘોડેસવાર અને પોલીસના બંદોબસ્ત વચ્ચે નીકળી જગતના તાતની સવારી. શોભાયાત્રા, ભજન મંડળી, અખાડા, વિવિધ ઝાંખી રથયાત્રાના મુખ્ય આકર્ષણ બની.

પોતાના દ્વારે આવેલા ભગવાનની લોકોએ આનંદ ઉલ્લાસ સાથે સ્વાગત કર્યું.ભક્તોને મગ અને જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો. ઠેર ઠેર રથયાત્રામાં જોડાયેલ ભક્તો માટે છાસ, પાણી, શરબતના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા.

આ સાથે સાથે વૃક્ષારોપણનો પ્રોત્સાહન આપવા માટે રથયાત્રામાં પ્રસાદ તરીકે વૃક્ષોના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *