Latest

રાજસ્થાન, અરવલ્લી તેમજ પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લા ની ગરીબો માટે વનમાં મીઠી વીરડી સમાન મોડાસા:સાર્વજનિક હોસ્પિટલના 80માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે નવા 21 વિભાગોનું દાતાઓઓ દ્વારા લોકાર્પણ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાની તેમજ પાડોશી રાજસ્થાન રાજ્યના અને મહીસાગર પંચમહાલ જિલ્લા ની જનતાને આશીર્વાદ સમાન મોડાસાની સાર્વજનિક હોસ્પિટલને આજરોજ 80માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવાના શુભ પ્રસંગે દાતાઓ અને શ્રેસ્ટીઓ દ્વારા નવા 21 વિભાગોનું દાતાઓઓ દ્વારા લોકાર્પણ યોજાયો હતો

તેમાંય કોરોના કાળ માં તાતી જરૂરિયાત એવી એમ્બ્યુલન્સ અરવલ્લી નર્સિંગ કોલેજ તખ્તપુર સ્થિત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એમ ડી પટેલ સંકુલ ના મુખ્ય સંચાલક મહેશભાઈ ડાહ્યાભાઈ પટેલ તરફથી ઓગણીસ લાખ રૂપિયા ની સાર્વજનિક હોસ્પિટલ ને ભેટ કરી દર્દીનારાયણો ની સેવાઓનો લાભદાયી નીવડશે આજે 80 માં વર્ષ ના મંગળ પ્રવેશી રહેલી સંસ્થાના 21 અલગ અલગ વિભાગ નું ટ્રસ્ટી દાતાઓના દાન થી લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે સાર્વજનિક હોસ્પિટલ ના ચેરમેન જીગીશભાઈ મહેતા ,મંત્રી પુનમભાઈ પટેલ મંત્રી પીયૂષભાઈ પટેલ ટ્રસ્ટી મહેશભાઈ ડી પટેલ ,મહેન્દ્ર મામા,ટ્રસ્ટી દાતા કાલિદાસ પટેલ ,રમણભાઈ પ્રજાપતિ,સુરેશભાઇ ત્રિવેદી, દિલીપભાઈ પટેલ, બીપીનભાઈ શાહ તેમજ સાર્વજનિક હોસ્પિટલ ના રાકેશભાઈ પટેલ સહિત ના અનેક આગેવાનો દાતાઓ ડોકટરો અને મીડિકલ સ્ટાફ તેમજ વહીવટી સ્ટાફ ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો

તેમજ મેડિકલ ની અનેક સેવાઓ નજીવા દરે દર્દીઓને પુરી પાડતી સંસ્થા એ અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ નહીં હોવા છતાં દરેક પ્રકારના રોગોમાં સારવાર આપી અનેકવિધ સેવાઓ આપતી સંસ્થા ને દાતાઓ દાન આપે તો હજુ ગરીબો તેમજ મધ્યમવર્ગીય જનતા ને ખુબજ લાભદાયક નીવડે તેમ છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *