Latest

અરવલ્લી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરે ૧ માસ ૧૨ દિવસથી નિકળી ગયેલ માનસિક રીતે અસરગ્રસ્ત મહિલાને ૧૧ દિવસ આશ્રય આપી તેના પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવેલ

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

કલેકટર ડોકટર નરેન્દ્રકુમાર મીના ની અધ્યક્ષતા હેઠળ તથા સખી વન સ્ટોપ સેન્ટર ના નોડલ અધિકારી અને મહિલા અને બાળ અધિકારી માર્ગદર્શનથી પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી દ્વારા તા- ૧૪/૦૬/૨૦૨૨ ના રોજ રાત્રે પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ૧૮૧ મહિલા હેલ્પ લાઈન દ્વારા માનસિક રીતે અસ્વસ્થ મહિલાને આશ્રય આપવામાં આવેલ જેઓને રાત્રે જરુરી કીટ તથા કપડાં આપીને નવડાવીને આરામ કરવા જણાવેલ અને સવારે સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા બેનને મેડિકલ સારવાર કરાવેલ તેમજ કાઉન્સેલિંગ કરતાં બેન બોલતા કે ડુંગરપુરમાં ભૈયાના ઘરે રહુ છુ.જેથી સખી વન સટોપ સેન્ટરના કર્મચારીઓ ધ્વારા ડુગરપુરના આજુબાજુ ના ગામડાઓમાં સંંપર્ક કરેલ પરંંતુ કોઇ માહિતી મળેલ નહિ તથા ડુંગરપુર પોલિસ સ્ટેશનમાં જાણ કરતા દેવોડ પોલિસ ચોકીનો ફોન નંબર મળતા જાણવા મળેલ કે બેનના દિયરે પોલિસ સ્ટેશનમાંં બેનની ગુમ થયાની અરજી આપેલ હતી જેથી ત્યાના બે પોલિસ સ્ટાફ તથા દિયર- દેરાણિ તા-૨૪/૦૬/૨૦૨૨ ના રોજ સખી વન સ્ટોપ સેન્ટર મોડાસા ખાતે લેવા માટે આવેલ તેમનુ કાઉંસેલિંગ કરતા જાણવા મળેલ કે બેનની ઉંન્દરડા ગામે સાસરી છે તથા બેનના પતિનુ ૭ મહિના પહેલા અવસાન થયેલ છે ત્યારથી બેનની માનસિક સ્થિતિ બગડેલ છે અને પિયરમા રહેવા ગયેલ હતા ત્યાથી ૧ મહિનો અને ૧૨ દિવસથી ઘર છોડીને નીકળી ગયેલ છે.બેનના દિયરને વિધવા સહાય ચાલુ કરાવવાની તથા માનસિક બિમારીની સરવાર કરાવવાની જવાબદારી સાથે બેનના ત્રણ બાળકો તથા પરિવાર સાથે પુન: સ્થાપન કરાવેલ છે…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 93

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *