Latest

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંબાજી મંદિર આવી પહોંચ્યા

અંબાજી મંદિર ગર્ભગૃહમાં વિશેષ પૂજા અર્ચન કરી

ગણપતિ મંદિરમાં કરી પૂજા અર્ચના…
શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી

અંબાના શરણે નિજ મંદિર મસ્તક શીશ નમાવી ધન્યતા અનુભવી
કરોડો ભક્તોની આસ્થા નું કેન્દ્ર યાત્રાધામ અંબાજી મંદિર અંબાજી ખાતે અનેક નેતા અને અભિનેતાની સાથે રાજ્યકક્ષાના આગેવાનો દર્શનાર્થે અંબાજી આવતા હોય છે જ્યારે વાત કરવામાં આવે કે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણા શાસ્ત્રી કે જે દસ દિવસ ગુજરાતના પ્રવાસે છે.

તે આજે શક્તિપીઠ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા. અમદાવાદથી હેલિકોપ્ટરના માધ્યમે દાંતા હેલીપેડ પહોંચી અને ત્યાંથી વાહન માર્ગે અંબાજી પહોંચ્યા હતા જ્યારે અંબાજી મંદિરમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અંબા સમક્ષ શિશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા

નિજ મંદિરમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પૂજા અર્ચન કર્યા બાદ ગણપતિ મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી માં અંબા ને ધજા પણ ચડાવવામાં આવી હતી ત્યારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંબાજી દર્શનાર્થે પહોંચતા મોટી સંખ્યામાં ધીરેન્દ્ર કૃષ્ણા શાસ્ત્રીના ભક્તો પણ તેમના દર્શનાર્થે અંબાજી મંદિરમાં પહોંચ્યા હતા..

રિપોર્ટ…અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો એવા “ગુજરાતના ગરબા”ને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યું

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે પરંપરાગત ગરબા યોજી ઉજવણી કરવામા…

1 of 511

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *