Latest

બનાસકાંઠામાં લમ્પી વાયરસનો કહેર ઓછો થાય તે માટે ગણપતી મંદિરમાં બ્રાહ્મણો દ્વારા પાઠ કરવામાં આવ્યા

 

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આવનારા થોડાજ દિવસમાં ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે યોજાવાનો છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભાદરવી મેળામા આવતા ભક્તોને દર્શનની કોઈ જ તકલીફ ન પડે તે માટે સુંદર વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે.

અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયક દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ગણપતિ દાદાનો પુરો પરિવાર સાથે ભકતોને દર્શન મળે છે. આજે ગણેશ ચોથના દીવસે સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ દાદાને 21 કિલો લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને ગણપતિ દાદાના મંદિરને પણ શણગારવામાં આવ્યુ હતુ.

અંબાજી મંદિરના ચાચર ચોકમાં ટેમ્પલ ઇન્સ્પેકટરની ઓફિસ પાસે સિદ્ધિ વિનાયક દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ગણપતિ દાદા પુરા પરિવાર સાથે બિરાજમાન છે. આજે સવારે ગણપતી મંદિરમા ભગવાનને 21 કિલો લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સાંજે સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગણપતીબાપા ના મંદિરમા પાઠ કરવામાં આવ્યા હતા અને બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસનો કહેર ઓછો થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ગણપતિ દાદા ના મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સાંજે મહાઆરતી પણ કરવામાં આવી હતી. ગણપતિ મંદિરના પૂજારી મુકેશભાઈ જોશી દ્વારા સવાર સાંજ પુજા અર્ચના કરવામાં આવે છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *