Latest

સરકાર શ્રી દ્વારા બાંધકામ માટે વર્ષ ૨૦૨૧-૨૨ ના એસ.ઓ.આર. (SOR) માટેના ભાવમાં વધારો કરવા જયરાજસિંહ મોરી દ્વારા મુખ્યમંત્રીશ્રી ને રજુઆત.

 

વર્ષ ૨૦૨૧-૨૨ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તા. ૧૮/૦૮/૨૦૨૧ થી અમલમાં મુકવામાં આવેલ બેઝિક મટીરીયલ, માલ અને પરિવહન તથા જુદી જુદી કેટેગરીના મજૂરના ભાવો હાલના પ્રવર્તમાન સમય સંજોગ ના પ્રમાણ માં અપૂરતા છે. આ પહેલા વર્ષ ૨૦૧૫-૧૬ મુજબના ભાવો અમલ માં હતા

જે પછી વર્ષ ૨૦૨૧માં સુધારેલ ભાવ સાથે અમલવારી થઈ પરંતુ ત્યારની સરખામણી માં મોંઘવારી આશરે ૫૦% થી ૬૦% જેટલો વધારો થયો છે જેના પ્રમાણમાં સરકારશ્રી દ્વારા નજીવો વધારો કર્યો છે. રો મટીરીયલ જેવા કે ઈંટ, લોખંડ, સિમેન્ટ, રેતી તમામ ના ભાવો બજાર ભાવ કરવા ખૂબ જ ઓછા હોય કોઈ પણ કોન્ટ્રાક્ટર ને પોસાય એમ નથી જેની સીધી અસર કામ ની ગુણવત્તા પર પડે છે

અને મોટાભાગ ની ગ્રામ પંચાયતોમાં વિકાસના કામ અટકી ગયા છે. આથી આજરોજ કોંગ્રેસ આગેવાન જયરાજસિંહ મોરી દ્વારા મુખ્યમંત્રી શ્રી ને હાલના એસ.ઓ.આર. માં સુધારો કરી પ્રવર્તમાન બજારભાવ ને અનુરૂપ સુધારો કરવા રજુઆત કરવામાં આવી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન…

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…

1 of 589

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *