Latest

ભજન,ભોજન અને ભાવનો ત્રિવિધ સંગમ કોટિયા ગૌધામ આશ્રમ લહેરગીરીબાપુનું મહામૃત્યુંજય જાપ અને મહારુદ્ર યજ્ઞનું સુચારું આયોજન

વેળાવદર
સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ તરીકે સમગ્ર વિશ્વના નકશા પર સુખ્યાત છે. અહીં અનેક ધાર્મિક સંસ્થાનો સેવા સંસ્કાર અને ભાવ- ભોજનથી આજે પણ ધમધમી રહ્યા છે.તેથી કવિઓએ આ ભુમિમાં ભગવાનને ભુલો પડવા જણાવ્યું છે.

મહુવા તાલુકાના કોટિયા ગામની ડુંગરમાળાઓમાં નયનરમ્ય સ્થળ પૂ. લહેરગીરીબાપુએ વિકસિત કરેલું સ્થળ એટલે ગુરુદત આશ્રમ કોટિયા ગોધામ.પાલીતાણાના ઠાડચથી કુંઢડા થઈને લગભગ 10 કિલોમીટરના અંતરે આવેલું ગીરીકંદરાઓની રમણીય આ અનોખું સ્થળ શ્રાવણ મહિનામાં વિશેષ દર્શનનીય બને છે.

દર વર્ષે અહીંના થાનાપતિ અને મહંત પુ.લહેરગીરીબાપુ ગુરુ શ્રી મોહનગીરીબાપુ દ્વારા શ્રાવણ મહિનામાંના દર સોમવારે સવા લાખ મહામૃત્યુંજયના જાપ વેદોક્ત મંત્રોચ્ચારથી કરાવવામાં આવે છે. એટલું જ નહીં તળાજા, મહુવા,પાલીતાણા અને સમગ્ર ભાવનગર જિલ્લાના ભાવિક ભક્તો મહારુદ્ર યજ્ઞમાં આહુતિ આપવાનું શ્રેય મેળવવાં આ સ્થળે ત્યારે અચૂક આવે છે.

મંહત શ્રી લહેરગીરી બાપુએ કહ્યું કે આ સ્થળમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને ધર્મને જાળવવા માટે અમે મથામણ કરી રહ્યાં છીએ.અને વિશ્વ શાંતિ અને લોક કલ્યાણ માટે દર સોમવારે મહારુદ્રનું આયોજન કરવામાં આવે છે.એ જ રીતે આપણા શિવસ્ત્રોતનો મહામંત્ર મહામૃત્યુંજય મંત્રજાપ સવા લાખ જપવામાં આવે છે. રાત્રિના લોકડાયરાના કલાકારો પોતાની વાણીને પવિત્ર કરવા માટે અહીં આવતા હોય છે.લમ્પી વાયરસથી આપણું ગૌધન બચી જાય તે માટે પણ અમે વચનબધ્ધ છીએ.

આ ગુરુદત આશ્રમની મુલાકાત લેતાં અહીં ગૌસેવાનું પણ એટલું સુંદર મજાનું કામ થતું જણાય છે. આગામી દિવસોમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરીને દીકરી તથા દિકરાઓને વેદ અને ઉપનિષદનું શિક્ષણ આપવા માટે પૂ. લહેરગીરી બાપુએ પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.દિકરીઓને વિશેષ સવલતો મળે તેવો પણ પ્રયાસ રહેશે.

ભજન, ભોજન અને ભાવથી ભરપૂર આ આશ્રમ અનેક આબાલ વૃદ્ધોને ભાવથી ભોજનનો પણ સેવાલાભ આપે છે.અહી અન્નક્ષેત્ર પણ શરું રાખવામાં આવે છે. આ સ્થળે આગામી દિવસોમાં 108 ફૂટ ઊંચાઈ ધરાવતી શિવ પ્રતિમા સ્થાપિત કરીને આ સ્થળને વધુ ઉર્જા આપવા માટેનો પ્રકલ્પ જાહેર કરવામાં આવ્યો છે.

અહીં એક નાવિન્યપૂર્ણ બાબત એ જોવાં મળી કે લહેરગીરીબાપુએ ધર્મ સાથે રાષ્ટ્રભક્તિને પણ જોડી છે.નજીકના કુંઢડા ગામે તે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે.ચાલુ વર્ષે તેઓ ઘર ઘર તિરંગા યાત્રામાં જોડાયાં હતાં. અને આશ્રમની યજ્ઞશાળા પર રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવ્યો હતો.પુ. બાપુ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વિશેષ કાર્યક્રમના આયોજનમાં હવે પછી જોતરાવાના છે.

અત્યાર સુધીમાં કલાકારો લખમણ બારોટ,બીરજુ બારોટ,સાગરદાન ગઢવી વગેરે આશ્રમમાં પોતાની વાણી પવિત્ર કરી ગયાં છે. તા 22-8-22 ની રાત્રે માયાભાઈ આહીર અને દેવરાજ ગઢવીએ પોતાની લોકભોગ્ય વાણીનો લાભ આશ્રમને આપ્યો હતો.હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આ આશ્રમની મુલાકાતે દર્શને આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

અમદાવાદ અખબારનગર સર્કલ પાસે ગેરકાયદેસર દબાણો અને વાહનો પર ટ્રાફિક પોલીસ અને એએમસીની સયુંકત ડ્રાઈવ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના નવાવાડજ અખબાર નગર પાસે ગેરકાયદેસર દબાણો કરતા…

1 of 603

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *