Latest

ભાવનગરના ભંડારિયાના શક્તિધામ બહુચરાજી માતાના પુરાણ પ્રસિદ્ધ સ્થાનકે નવરાત્રિ ઉત્સવ શ્રદ્ધા ભાવથી ઉજવાશે,

 

કોરોનાકાળ બાદ આ વર્ષે ધામધૂમથી આ મહોત્સવ ઉજવવા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેયારીઓ હાથ ધરી દેવાઈ છે, આજે મંડપ રોપણ વિધિ સંપન્ન  કરવામાં આવી. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બહુચરાજી મંદિરે નવરાત્રિ ઉત્સવની પરંપરા રહી છે જે મુજબ જળજીલણી અગિયારસના એટલે કે આજે માણેક ચોકમાં મંડપ રોપી અને ધ્વજાનું રોહણ કરવામાં આવ્યું. આ સાથે ઉત્સવ સંદર્ભ વિવિધ વિભાગોમાં કામગીરી હાથ ધરાશે. મંડપ રોપણ પ્રસંગે નિજ મંદિરેથી વાજતે-ગાજતે માણેકચોકમાં પહોંચી વિધિવિધાનભેર મંડપ રોપી ધ્વજા ફરકાવવામાં આવી.

અત્રે ઉલ્લેખનીય છે કે3 ભંડારીયા મંદિર ખાતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન નથી અહીંયા માણેકચોકમાં નવ દિવસ માતાજીનું ભજન કીર્તન કરવામાં આવે છે અને ભવાઈ નાટકો ભજવામાં આવે છે, માણેકચોક ની અંદર કોઈપણ વ્યક્તિને ઉચા સ્થાને બેસવાની મનાઈ છેઝ અહીંયા દરેક વ્યક્તિ જમીન પર બેસી અને માણેકચોકમાં ભજવાતા ભવાઈ નાટકોએ નિહાળે છે .

ઉલ્લેખની હશે કે બગદાણાના બજરંગદાસ બાપા આ ભવાઇ નાટકો નિહાળવા માટે ભંડારીયા આવતા હતા અને આ ભવાઇ નાટકોને લઈને દાતાના રાજવીઓ દ્વારા ભંડારીયા ગામથી આવતા યાત્રીકોનો રાજાશાહીના સમયમાં મૂંડકી વેરો માફ કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *