Latest

ભારતીય ટપાલ વિભાગ દ્વારા આયોજિત પત્ર લેખન સ્પર્ધામાં રાજયસ્તરે ત્રીજું સ્થાન મેળવતી જામનગરની રીના સાંગાણી.

જામનગર: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘વિઝન ફોર ઇન્ડિયા 2047’ વિષય આધારિત ‘ઢાઈ આખર રાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગત વર્ષ 2022માં તા. 01 જુલાઈથી 30 નવેમ્બર દરમિયાન 18 વર્ષથી વધુ વયજૂથ અને 18 વર્ષથી નીચેના વયજૂથ- આમ બે શ્રેણીમાં આ સ્પર્ધાનું આયોજન થયું હતું. ઉપરોક્ત સ્પર્ધામાં 18 વર્ષથી વધુ વયજૂથ વાળી શ્રેણીમાં જામનગરની રહેવાસી કુ. રીનાબેન કે. સાંગાણીએ સમગ્ર ગુજરાત સર્કલમાંથી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણીને મુખ્ય પોસ્ટમાસ્તર જનરલ, ગુજરાત પોસ્ટલ સર્કલ, અમદાવાદ કચેરી તરફથી રૂ. 5000નો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.

જેના અનુસંધાને, જામનગર મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગત તા. 26 ફેબ્રુઆરીના રોજ જામનગર પોસ્ટલ ડિવિઝનના અધિક્ષકશ્રીના હસ્તે કુ. રીનાબેન કે. સાંગાણીને ગુજરાત પોસ્ટલ સર્કલ, અમદાવાદ કચેરી તરફથી મળેલ રૂ. 5000નો રોકડ પુરસ્કાર ચેક, પેન દ્રાઈવ અને ફિલાટેલી કીટ પ્રતીક સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *