bhavnagarBreaking NewsGujaratLatestLocal Issues

ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ.એન.કે.મીનાએ કુંભારવાડા અંડર‌ બ્રીજ, ઘોઘા‌ સર્કલ અને રૂવા રવેચી ધામ- મંત્રેશ સર્કલ સુધીના રોડની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.

પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાનિર્દેશો અનુસાર ભાવનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડૉ.એન.કે.મીનાએ આજે ભાવનગર મહાનગરપાલિકાના કાર્યક્ષેત્ર હસ્તક આવેલ કુંભારવાડા અંડર‌ બ્રીજ, ઘોઘા‌ સર્કલ અને રૂવા રવેચી ધામ-મંત્રેશ સર્કલ સુધીના રોડની મુલાકાત લઇ પુલોનું સમારકામ અને માર્ગોની સ્થળ વિઝીટ કરી ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

કમિશનરશ્રીએ કુંભારવાડા અંડર બ્રીજની મુલાકાત દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું કે, કુંભારવાડા અંડર‌ બ્રીજમાં જરૂર જણાય સમારકામ કરાવવા અથવા નવા પુલની આવશ્યકતા જણાય તો તાત્કાલિક ધોરણે તે અંગેની કાર્યવાહી હાથ ધરવાની સાથે ટીમે પુલનું તકનીકી રીતે વિશ્લેષણ કર્યું હતું. આ ઉપરાંત ઘોઘા‌ સર્કલ, રૂવા રવેચી ધામ-મંત્રેશ સર્કલ પર માર્ગ મરામતની થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી વિગતો મેળવી નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા, માર્ગ મરામતના જ્યાં કામો થઇ રહ્યા છે, ત્યાં રોડ સેફ્ટીના જરૂરી સાધનો ઉપલબ્ધ રાખવા સબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચના આપી હતી.

કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અનુસાર ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વરસાદને લીધે જે ખાડાઓ પડ્યાં છે. તે તાત્કાલિક ધોરણે પુરાય, નાગરિકોને મુશ્કેલી ન પડે તેની તકેદારીના ભાગરૂપે માર્ગ મરામતના કામો ચાલું કર્યાં છે. ભાવનગર મહાનગર પાલિકા હસ્તકના ૨૦ જેટલાં માઇનોર પુલો આવેલા છે, તે તમામનું ઇન્સ્પેકશન અને ચકાસણીનું કામ અધિકારીશ્રીઓ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આજની સ્થળ મુલાકાત દરમિયાન માર્ગ મરામતની કામગીરી ઝડપથી અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સુચના આપી હોવાનું જણાવ્યું હતું.

કમિશનરશ્રીની મુલાકાત વેળાએ એડીશનલ સીટી એન્જિનિયર શ્રી એમ.સી.પટેલ, રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી રવિવાજસિંહ લીંબોલા તથા રેલવે વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે : કેન્દ્રીય રેલ…

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 754

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *