Latest

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના મુખ્ય કન્વીનર તરીકે ભાજપના ડૉ યજ્ઞેશ દવેની નિયુક્તિ કરવામાં આવી

અમદાવાદ, સંજીવ રાજપૂત : અમદાવાદ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ટ્રસ્ટી મંડળ અને આમંત્રિત મહેમાનોની મીટીંગ ભગવાન પરશુરામના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

ઉપરોક્ત મિટિંગમાં સંસ્થાના મહામંત્રી ગીરીશ ત્રિવેદી દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ યજ્ઞેશ દવે ને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના મુખ્ય કન્વીનર બનાવવા માટે ભલામણ કરવામાં આવી હતી જેને સંસ્થાના અધ્યક્ષ ભરતભાઈ રાવલ અને મહામંત્રી ડૉ અશ્વિન ત્રિવેદી દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.ઉપસ્થિત સર્વ ટ્રસ્ટી મંડળ તેમજ આમંત્રિત સભ્યો દ્વારા હર નિયુક્તિને વધાવી લેવામાં આવી હતી.

ઉપરોક્ત સમાચાર સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરતા સમગ્ર ગુજરાત ભરના ભૂદેવ પ્રેમીઓ દ્વારા અભિનંદન ની ઝડી વરસી હતી. ડૉ અશ્વિન ત્રિવેદી દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું.સંસ્થાના ટ્રસ્ટી અમિત દવે દ્વારા આગળની કાર્યવાહી સાંભળવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં યોજાનાર સમાજના કાર્યક્રમો અને સંમેલનો બાબતે અગત્યના નિર્ણયો ઉપરોક્ત મિટિંગમાં લેવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *