Latest

અરવલ્લી જિલ્લાના ધનસુરા ની જે.એસ.મહેતા હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભારત માં દર ૫ મી સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન ની ઉજવણી કરાય છે. ભારત ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસ ના રોજ ભારત માં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે ધનસુરા તાલુકામાં વિવિધ સ્કૂલો માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.

ધનસુરા ની જે.એસ.મહેતા હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં પણ શિક્ષક દિન ની ઉજવણી કરાઈ હતી.જેમાં શાળા ના વિદ્યાર્થી શિક્ષક બન્યા હતા અને શિક્ષક બની શાળા માં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું.અને શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.આજના દિવસે શિક્ષક બનેલ વિદ્યાર્થીઓને આગાઉ થી પોતાનું ધોરણ અને વિષયો વહેચી દેવામાં આવ્યા હતા.

અને વિદ્યાર્થીઓએ શિક્ષક બની ઉત્સાહપૂર્વક શિક્ષણ કાર્ય કરાવ્યું હતું.આમ એક દિવસ માટે શાળા ના બાળકો એ શાળા માં શિક્ષક બની ને શિક્ષણ કાર્ય કરાવ્યું હતું.શાળા ના આચાર્ય લલીતાબેન કલાસ્વા અને સ્ટાફ ના શિક્ષકો સહુએ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *