Latest

સાંતલપુરના ધોકાવાડા ગામમાં UGVCLની ઘોર બેદરકારી આવી સામે..જીવંત વીજ વાયર સાથે વીજપોલ મકાન પર પડ્યો..

એબીએનએસ, પાટણ: સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામમાં આજે એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)નો એક જૂનો અને જર્જરિત વીજપોલ જીવંત વાયર સાથે એક રહેણાંક મકાન પર પડયો હોયતો ભાગ્યવશતઃ કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આ ઘટના સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો કરતી છે.

સ્થાનિક ગ્રામજનો અને તલાટીએ 2024થી જ આ જર્જરિત વીજપોલ અંગે UGVCLને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી. છતાં, કંપની દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. જો આ ઘટના કોઈ મોટી દુર્ઘટનામાં ફેરવાત, તો તેની સમગ્ર જવાબદારી UGVCL પર આવત

હમણાંની આ ઘટનાને પગલે, ગામના લોકોએ અને સ્થાનિક તંત્રએ અન્ય એવા જ જોખમજનક વીજપોલ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. વીજ વિભાગે આવતીકાલે સુધીમાં જવાબદારી નિર્ધારિત કરી યોગ્ય પગલાં ન લે, તો આગળની કાર્યવાહીના ઈશારા પણ મળી રહ્યા છે.

આ ઘટનાથી એ સ્પષ્ટ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ તંત્રની દેખરેખ અને જર્જરિત વ્યવસ્થાનો તાત્કાલિક દરખાસ્ત મુજબ સુધાર કરવો જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓ ફરીથી ના બને તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *