GujaratLatest

ધોળાવીરા ગામે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ગામની  સફાઈ કરવામાં કરવામાં આવી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ દ્વારા ગામડાઓ કચરા મુક્ત બને તે માટે “સ્વચ્છતા હી સેવા ૨૦૨૩” પ્રોગામ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં ખડીર બેટ ખાતે પુરાતત્વીય સ્થળ તરીકે જાહેર થયેલા ધોળાવીરા ગામમાં પણ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાર્બેજ ફ્રી ઇન્ડિયાની થીમ સાથે ગામો કચરા મુકત બને તે માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી તારીખે સ્વચ્છતા માટે “એક તારીખ, એક કલાક”મહાશ્રમદાન કાર્યક્રમ ભારતભરમાં યોજાશે.ત્યારે ધોળાવીરામાં પણ અત્યારથી ગામના જાહેર સ્થળોની,રસ્તાઓની સફાઈ કરવામાં આવી રહી છે.

ગામના તમામ લોકોને મહાશ્રમ દાન કાર્યક્રમમાં જોડવામાં આવી રહ્યા છે.પ્રવાસનને વેગ મળે અને ગામની સ્વચ્છતા જળવાય તે માટે ગામના લોકો દ્વારા સફાઈ અભિયાનમાં જોડાઈને ગામને સ્વચ્છ બનાવી રહ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

1 of 633

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *