Latest

શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અને સ્થાનિક બહેનોના હસ્તે રૂ.૫.૩૮ કરોડ ખર્ચે કામરેજ ચાર રસ્તા પોલીસ ચોકીથી બાપા સીતારામ ચોક (કેનાલ રોડ) સુધીના ફોર લેન સી.સી. રોડ, ડીવાઇડર, પેવર બ્લોક તથા એક બાજુ પ્રીકાસ્ટ ગટરની કામગીરીના વિકાસકામનું ખાતમુહૂર્ત

આ વિકાસ કાર્યો કામરેજની પ્રગતિનું પથદર્શન છે – માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયા

કામરેજમાં દરેક વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત બહેનોના હસ્તે કરવામાં આવે છે.

કામરેજ,સુરત – મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ.૫.૩૮ કરોડના ખર્ચે કામરેજ ચાર રસ્તા પોલીસ ચોકીથી બાપા સીતારામ ચોક (કેનાલ રોડ) સુધીના ફોર લેન સી.સી. રોડ, ડીવાઇડર, પેવર બ્લોક તથા એક બાજુ પ્રીકાસ્ટ ગટરની કામગીરીનો શિલાન્યાસ રાજ્યના શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં અને સ્થાનિક અગ્રણી બહેનોના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યો.

આ વિકાસ કામ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, સુરત દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના થકી માત્ર વાહનવ્યવહાર સરળ નહીં બનશે, પણ સમગ્ર વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને નવો impetus મળશે.

આ અવસરે શ્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “આ રોડ માત્ર સડક કામ નહીં પણ કામરેજની પ્રગતિનું પથદર્શન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના સુશાસન હેઠળ ગ્રામ્ય વિસ્તારો પણ સમૃદ્ધિના પથ પર આગળ વધી રહ્યા છે.”

વધુમાં શ્રી પાનશેરીયાએ જણાવ્યું કે, આ માર્ગ કામ માત્ર ભૌતિક પરિવર્તન નથી, પણ કામરેજને આધુનિકતાની દિશામાં આગળ ધપાવતું યશસ્વી પગથિયો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી ગામડાંની ગતિશીલતામાં વધારો થાય છે અને વિકાસના દરવાજા ખુલે છે.

તેમણે ઉમેર્યું કે, “આ વિકાસ યાત્રા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના વિઝન હેઠળ ‘સબકા સાથ, સબકા વિકાસ’ ના સિદ્ધાંતને અમલમાં મુકતી સફળ યાત્રા છે.”

આ માર્ગ માત્ર કામરેજ વિસ્તારનાં વતનીઓ માટે નહીં પરંતુ સુરત જિલ્લાના આર્થિક ગતિ માટે મહત્વપૂર્ણ કડી પુરવાર થવાનો વિશ્વાસ વર્તાયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 597

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *