Latest

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડીયાના પ્રમુખ ડો. મોન્ટુ પટેલે માં અંબાના દર્શન કર્યા

શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં વીઆઇપી લોકો પણ આવતા હોય છે ત્યારે શુક્રવારે બપોરે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડીયાના પ્રમુખ ડો.મોન્ટુ પટેલ પોતાના પરિવાર સાથે માતાજીના દર્શન કરવા આવ્યા હતા.

અંબાજી મંદિર ના ગર્ભગૃહમાં તેમને માતાજીના દર્શન કર્યાં હતા ત્યારબાદ તેમને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.અંબિકેશ્વર મહાદેવ ખાતે તેમને ભગવાન શિવને જળ અર્પણ કર્યું હતુ.

:- 75 બાદ પ્રથમ ગુજરાતી પ્રમુખ :-

ડો.મોન્ટુ પટેલ ની વાત કરવામાં આવે તો તેઓ માં અંબાના પરમ ભક્ત છે અને વર્ષમા કેટલીય વાર માતાજીના દર્શન કરવા માટે આવે છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડીયા મા પ્રથમ વાર માત્ર 31 વર્ષની ઉંમરે તેમની વરણી દેશના પ્રમુખ તરીકે કરાઈ છે. તે ગુજરાત માટે ગૌરવની બાબત છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડીયા 27 લાખ કરતા વધુ નુ રજીસ્ટ્રેશન ધરાવે છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…

1 of 613

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *