Latest

વકીલ થી હાઇકોર્ટ ના જજ સુધી પહોંચેલા રામચંદ્ર વચ્છાની ની સંઘર્ષીય અને પ્રેરણાદાયી કહાની

લોકલ એસટી બસમાં 2 વર્ષ સુધી અપડાઉન, ઝાડ નીચે બેસીને અભ્યાસ

(સમગ્ર વિગત તેમના પરિવાર અને મિત્રો પાસે થી )

હાઇકોર્ટ ના જજ બનેલા રામચંદ્ર વચ્છાનીનો જન્મ અંબાજી ખાતે વેપારી પરિવારમાં થયો.તેમના પિતા સ્વ. ઠાકુરદાસ પ્રિતમદાસ વચ્છાની.જેમને 4 પુત્ર જેમાં 3 નંબરના પુત્ર રામચંદ્ર વચ્છાની.અંબાજી ખાતે તેમના પરિવારના ભાઈઓ અને નજીકના મિત્રોનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે તેઓ બાળપણમાં જ્યારથી સમજતા થયા,ત્યારથી પિતાની સાથે રોજ સવારે કૈલાશ ટેકરી મહાદેવ જતા અને આરતી ભર્યા બાદ શાળાએ ભણવા જતા.પ્રથમ સરકારી પ્રાથમીક શાળા અને ત્યારબાદ અંબાજી ગ્રામ પંચાયત માધ્યમીક શાળામાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો. ધોરણ 12 મા ટોપ કર્યું,ત્યારબાદ અમદાવાદ ગુજરાત કોલેજ અને પછી સેંડ મેરીઝ કોલેજ થી ગ્રેજ્યુએશન કર્યું,લો તેમને સર એલ.એ શાહ કોલેજ થી કર્યું.

ગુજરાત હાઈકોર્ટ અને બનાસકાંઠાની વિવિધ કોર્ટ મા તેમને વકીલ તરીકે પ્રેક્ટિસ કરી પણ જીવનમાં કંઈક આગળ વધવાના ઉદેશ્ય સાથે પોતાની મહેનત ચાલુ રાખી.પોતાના માતા પિતાને આદર્શ ગણનારા રામચંદ્ર વચ્છાની બાળપણથી ભક્તિભાવમાં અને પ્રભુ ભક્તિમાં જોડાયા. ભગવાન રામ અને હનુમાનજી ની વિશેષ ભક્તિ આરાધના તેઓ કરતા હોય છે.2011 મા તેઓ ડિસ્ટ્રક્ટ જજ બન્યા.અંબાજી થી પાલનપુર કોર્ટ મા વકીલ તરીકે સતત 2 વર્ષ સુધી લોકલ બસ મા અપડાઉન કર્યું.ઘણી વખત અંબાજી થી પાલનપુર સુધી ઉભા રહેવું પડતું હતું.

: અલગ અલગ કોર્ટ મા ફરજ બજાવી હાઈકોર્ટ જજ સુધી પહોંચ્યા :

બનાસકાંઠા જીલ્લા માટે ગૌરવભરી ક્ષણ કે પ્રથમ વખત તેમને ડીસ્ટ્રીકટ જજ તરીકે પોસ્ટીંગ મળ્યું.અમદાવાદ બાદ સુરત અને પછી જોઈન્ટ સેક્રેટરી તરીકે ગાંધીનગર લીગલ ડિપાર્ટમેન્ટ કોમર્શીયલ કોર્ટ મા ફરજ નિભાવી. અમદાવાદ બાદ વડોદરા ખાતે ફરજ બજાવી.

છોટા ઉદેપુર ખાતે પ્રિન્સીપાલ જજ પછી ભાવનગર ,અમરેલી ,રાજકોટ અને સુરત ખાતે ફરજ બજાવી, ત્યારબાદ 5 મે 2025 થી તેમની નિમણુંક ભારતના રાષ્ટ્રપતી દ્વારા સુપ્રીમ કોર્ટના કોલેજીયમ પ્રમાણે ગુજરાત હાઇકોર્ટ જજ તરીકે નિમણુંક અમદાવાદ હાઇકોર્ટ ખાતે કરાઈ.

: અભ્યાસ માટે ખૂબ જ મહેનત કરી :

અંબાજી ખાતે રહેતા તેમના ભાઈ અને નજીકના મિત્રોએ જણાવ્યું કે તેઓ ભાટવાસ પોતાના ઘરે થી સાઇકલ લઈને ધોરણ 10 થી 12 ધોરણ સુધી કૈલાશ ટેકરી અને યોગાશ્રમના અલગ અલગ ઝાડ નીચે બેસીને એકાંતમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ વધુ અભ્યાસ માટે અમદાવાદ ગયા .ઉચ્ચ કક્ષા ઉપર પહોંચવા માટે વતન છોડવું પડતું હોય છે અને જ્યારે પરિણામ આવે ત્યારે લોકો ગર્વ અનુભવતા હોય છે.

: પોતાની સફળતાના શ્રેયમા પરિવાર, મિત્રોનો ફાળો :

રામચંદ્ર વચ્છાની પોતાની સફળતામાં સૌથી મોટો ફાળો તેમના સ્વ.માતાપિતા, પરિવાર, મિત્રો અને અંબાજીના સાધુ સંતોનો વિશેષ રહ્યો છે. રોજ સવારે કોર્ટ જતા પહેલા તેઓ પોતાના માતાપિતા ની તસ્વીરને હાથ જોડીને અને ભગવાનની ભક્તિ કરીને જવાનો તેમનો નિત્યક્રમ છે.

: અંબાજી આવે ત્યારે મિત્રોને અને ગામના બાળકોને ખાસ મળે છે :

જજ બન્યા બાદ અવારનવાર તેઓ અંબાજી આવતા ત્યારે તેઓ તેમના મિત્રોને અને ગામના બાળકોને ખાસ મળતા અને કહેતા કે તમે પણ ભણો અને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચો અને અંબાજીનું નામ રોશન કરો. કોઈને કંઈપણ માહિતી જોઈતી હોયતો મારી સલાહ લો.

: અંબાજીના બાળકો ભણીગણીને ગામનું પરિવારનું નામ રોશન કરે:

અંબાજીના પનોતા પુત્ર અને ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચેલા જજ રામચંદ્ર વચ્છાની કહે છે કે અંબાજીના ઘણા યુવાઓ અલગ અલગ ફિલ્ડમાં ભણીગણીને ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચે અને પોતાના માતા પિતા અને પોતાના ગામનું નામ રોશન કરે.
અંબાજી જે દાંતા તાલુકામા આવે છે તે તાલુકાની ગણના સમગ્ર ગુજરાતના પછાત તાલુકા તરીકે થાય છે.આ તાલુકામાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું ઓછું છે અને ઘણા બાળકો ધોરણ 10- 12 પછી ભણવાનું છોડી દેતા હોય છે, ત્યારે આવનારા સમયમાં બાળકો અને યુવાઓ ખૂબ જ ભણી ગણીને આગળ વધે અને પોતાના તાલુકાનું અને અંબાજીનું નામ રોશન કરે.

: હાઇકોર્ટ જજ બનીને આવતા રામચંદ્ર વચ્છાનીનું સ્વાગત કરાયું :

અંબાજીના પનોતા પુત્ર સામાન્ય વકીલથી હાઇકોર્ટ જજ સુધી પહોંચતા સમગ્ર અંબાજીના લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી. અંબાજી ખાતે રામચંદ્ર વચ્છાની જજ બનીને પોતાના ઘરે આવતા મોટી સંખ્યામાં લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. અંબાજીના તેમના મિત્રો, પરિવારજનો, પરશુરામ પરિવાર અને અલગ અલગ સમાજ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.

:- તેમની સાથે ભણેલા મિત્ર રાજુ પંચાલે જણાવ્યું :-

હું ભૈરવજી મંદીરની પાછળની બાજુ ઊભેલો હતો. રસ્તો ક્રોસ કરવો હતો પણ ત્યાંથી કોઈ Vip ની ગાડી નીકળવાની હતી માટે ટ્રાફિક રોકી રાખ્યું હતું, ત્યાં Vip ગાડી આવી પણ મારા બાજુમાં આવતા ગાડી ધીમી પડી. હું ગાડીમાં જોતો હતો કોણ VIP છે ,ને ત્યાતો ગાડીનો કાચ ખુલ્યો ને ગાડીમાથી અવાજ આવ્યો રાજુભાઈ પંચાલ મે જોયું તો આપણો પરમ મિત્ર રામ હું નજીક ગયોને બન્ને ખૂબ ખુશ થયા ઘણા વર્ષો પછી એક બીજાને જોયા. રામે મારો ચેહરો યાદ રાખ્યો મારા માટે બહુ મોટી વાત હતી,પછી,તેને સાથે જમવાનું આમંત્રણ આપ્યું. હું બીજા મિત્રોને ફોન કર્યો દેવેન્દ્ર અગ્રવાલ,દેવો ભાટિયા, હરીશ પંચાલ, ભરત લખવારા બધા ભેગા થઈ ને મળવા ગયા, રામે અમને ખુબ પ્રેમ થી આવકાર્યા આટલી મોટી પદવી છતાં સંપૂર્ણ મિત્ર ભાવ રામ પાસે થી જાણ્યું.ત્યારબાદ અમે મિત્રો ઘણા કલાક સુધી બેઠાને સાથે ભોજન કર્યું.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ અખબારનગર સર્કલ પાસે ગેરકાયદેસર દબાણો અને વાહનો પર ટ્રાફિક પોલીસ અને એએમસીની સયુંકત ડ્રાઈવ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના નવાવાડજ અખબાર નગર પાસે ગેરકાયદેસર દબાણો કરતા…

27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે…

1 of 603

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *