Latest

ગઢડા ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

તા. ૨૧/૦૬/૨૦૨૨નાં રોજ ભક્તરાજ દાદા ખાચર કૉલેજ –ગઢડા ખાતે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ અંતર્ગત વિશ્વ યોગ દિવસ નિમિત્તે ‘માનવતા માટે યોગ’ શીર્ષક તળે યોગાભ્યાસનું આયોજન કરવમાં આવ્યું હતું. કૉલેજનાં પ્રાંગણમાં રમતગમત અને રાષ્ટ્રીય સેવા યોજ્ના એકમ દ્વારા આયોજિત યોગાભ્યાસમાં બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે અધ્યાપકો અને બિનશૈક્ષણિક સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતગમત વિભાગનાં અધ્યક્ષ ડૉ. ચંદ્રકાંત ગોહેલે યોગ, આસન, પ્રાણાયામ અંગે વિસ્તૃત માહિતી આપી અને યોગનું નિદર્શન કર્યું હતું. સાથે જ અમિત રાણા દ્વારા વિવિધ આસનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. અર્થશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ બી. જે. બોરિચા દ્વારા નેતિક્રિયાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતે આચાર્ય એચ.વી.સેંજલિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વિશ્વ યોગ દિવસ નિમિત્તે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રમતગમત વિભાગ અને એન.એન.એસ. વિભાગનાં સંયુક્ત ઉપક્રમે પી.ટી.આઈ. -ડૉ. ચંદ્રકાંત ગોહેલ, કાર્યક્રમ અધિકારી ડૉ. વિરેનકુમાર પંડ્યા તથા કોમલ શહેદાદપુરી દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *