Latest

ગોધરા ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ, ૧૯૯૪ હેઠળ નોંધાયેલ ખાનગી ડોકટરોનો વર્કશોપ યોજાયો

ગોધરા(પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લાના ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી (પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીતના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાના ખાનગી ડોક્ટર્સ કે જેઓ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ-૧૯૯૪ હેઠળ રજીસ્ટ્રેશન ધરાવે છે

તેઓનો ઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો હતો.આ પ્રસંગે પંચમહાલના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા હાલમાં પંચમહાલ જિલ્લાના જન્મ સમયના જાતિ પ્રમાણદર વિશે ચર્ચા કરવામાં આવી હતી

અને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટની અમલવારી તથા કાયદાની જોગવાઈઓનું સંપૂર્ણ પાલન થાય તે સુનિશ્ચિત કરવા તમામ ડોક્ટર્સને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં ડીસ્ટ્રીકટ એડવાઇઝરી કમિટી ફોર પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. ચેરમેન દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” ને પ્રોત્સાહન મળે તે માટે જવાબદારી પૂર્વક કામગીરી કરવા અને જિલ્લામાં જાતિ પ્રમાણદરમાં વધારો કરવા અનુરોધ કર્યો હતો.

પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ આશિષ શાહ દ્વારા બેટી વધાવો ઓનલાઈન વેબપોર્ટલ ઉપર ઓનલાઈન અરજી માટે ફોર્મ એ, સગર્ભાના ભરતા ફોર્મ એફની ઓનલાઈન ડેટા એન્ટ્રી તથા તેના રીપોર્ટ કેવી રીતે જોવા જેવી બાબતો અંગે ટેકનીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અંતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.આ પ્રસંગે ડીસ્ટ્રીકટ એડવાઇઝરી કમિટી ફોર પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. ચેરમેન જયોતિકાબેન બામણીયા, ગોધરા સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ.કમલેશ પ્રસાદ, સબ ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને તાલુકા આરોગ્ય અધિકારીઓ, જિલ્લાના ૫૦ થી વધુ ગાયનેકોલોજીસ્ટ, રેડિયોલોજીસ્ટ તથા જિલ્લા પંચાયત – આરોગ્ય શાખા, ગોધરાના સ્ટાફગણ હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *