Latest

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન કોલેજના નિર્માણને મંજૂરી આપી હતી. વર્ષ ૨૦૨૨ના નવા શૈક્ષણિક સત્રથી સીમાડા સ્થિત મનપાની નગર પ્રાથમિક શાળામાં કાર્યરત છે,

ત્યારે સરકારી વિજ્ઞાન કોલેજના કાયમી નવા ભવનના બાંધકામ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને વાલક પાટિયા પાસે ૧૭,૩૮૩ ચો.મી. જમીન સુપરત કરવામાં આવી છે. જે સંદર્ભે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વાલક પાટિયા સ્થિત પ્રસ્તાવિત બાંધકામ સ્થળે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ મનપા પાસેથી જમીનના દસ્તાવેજો સ્વીકાર્યા હતા.

આ પ્રસંગે મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, સ્થાનિક નાગરિકોની વરાછા સરકારી વિજ્ઞાન કોલેજની માંગણીને અનુલક્ષીને રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં કોલેજને મંજૂરી આપી હતી. કોલેજનું નવું બિલ્ડીંગ ન બને ત્યાં સુધી સીમાડા ખાતે હંગામી ધોરણે આ કોલેજ કાર્યરત કરી દેવામાં આવી હતી. જ્યારે શિક્ષણ વિભાગ અને મનપાના અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારને મનપા દ્વારા જમીનની સોંપણી કરવામાં આવી છે.

મંત્રીએ કહ્યું કે, સુરત મનપાને જમીનના પ્લોટ માટે સરકાર દ્વારા રૂ.૫૨ કરોડની ચૂકવણી કરવામાં આવી છે. સુરતના વાલક ખાતે ૧૭,૩૮૩ ચો.મી. જગ્યા પર સાકાર થનાર અત્યાધુનિક સરકારી વિજ્ઞાન કોલેજ-વરાછા નજરાણા સમાન શિક્ષણધામ બનશે. હવે ઝડપભેર કોલેજના નવા ભવનના નિર્માણકાર્ય શરૂ કરવામાં આવશે.

મંત્રીએ વરાછામાં કોલેજના નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી ઉમેર્યું કે, ઝડપભેર ટેન્ડરીંગ સહિત જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી નવું ભવન સાકાર થાય એ દિશામાં કામગીરી કરવામાં આવશે. અહીં જરૂરી તમામ ફેકલ્ટી, શિક્ષણ સુવિધાઓ ઉભી કરી સ્ટેટ ઓફ ધ આર્ટ કોલેજ નિર્માણ પામશે, અને સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે શિક્ષણક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ બનશે.

આ પ્રસંગે શિક્ષણ, માર્ગ મકાન વિભાગ અને મનપાના અધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ, સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *