Latest

ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની માનવતાભરી પહેલ

77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ – અમદાવાદ દ્વારા દર્દીઓ માટે રમત-ગમત મહોત્સવનું આયોજન

દર્દીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારતો અનોખો પ્રયાસ; 22 દર્દીઓની ઉત્સાહભરી ભાગીદારી

દર્દીઓની ઝડપી પુનઃસ્વસ્થતા માટે તબીબી સારવાર સાથે માનસિક મજબૂતી પણ એટલી જ જરૂરી છે :- સ્પાઇન સર્જન ડો. પિયુષ મિત્તલ

26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ “પ્રજાસત્તાક દિવસ” ની ઉજવણીના ભાગરૂપે, દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તારીખ 24 જાન્યુઆરીના રોજ દર્દીઓ માટે વિશેષ રમત-ગમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સારવાર હેઠળ રહેલા દર્દીઓમાં માનસિક સ્ફૂર્તિ, આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ વિકસાવવાનો રહ્યો. વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓમાં કુલ 22 દર્દીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં દર્દીઓમાં આનંદ અને ઉર્જાનો માહોલ જોવા મળ્યો.

કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત સ્પાઇન સર્જન ડો. પિયુષ મિત્તલની વિશેષ ઉપસ્થિતિ દર્દીઓ માટે પ્રેરણારૂપ બની. આ ઉપરાંત ડો. શ્રેયા શર્મા પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડો. મિત્તલે દર્દીઓ સાથે સંવાદ કરી તેમને હિંમત અને આત્મવિશ્વાસ આપતા જણાવ્યું કે શારીરિક સારવાર સાથે માનસિક સકારાત્મકતા પણ ઝડપી સ્વસ્થતા માટે અત્યંત જરૂરી છે. તેમની પ્રોત્સાહક વાતોએ દર્દીઓમાં નવી આશા અને ઉત્સાહ ભરી દીધો.

કાર્યક્રમમાં ભાગ લેનાર તેમજ વિજેતા દર્દીઓને 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રોત્સાહન પુરસ્કાર અર્પણ કરવામાં આવશે, તેવી માહિતી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવી.

ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સારવાર સાથે સંવેદના અને માનવતા જોડતી આરોગ્ય સેવાનો ઉત્તમ દાખલો પૂરું પાડે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *