Latest

દાંતા તાલુકાનુ ગૌરવ, ગુલાબસિંહ નું સન્માન કરવામાં આવ્યું

 

શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રીવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી થી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત પર માં અંબાનુ મુળ સ્થાનક આવેલું છે.

અંબાજી ખાતે આવતા માઈ ભક્તો માતાજીનાં દર્શન કર્યાં બાદ ગબ્બર ખાતે પણ દર્શન કરવા જાય છે ત્યારે ગબ્બર ચાલતાં જવાના માર્ગ પર 999 પગથીયા ચઢીને ભકતો ગબ્બર પર્વતની પ્રદક્ષિણા કરે છે અને ઉતરવાના 765 પગથીયા ઉતરીને ગબ્બરની યાત્રા પૂર્ણ કરે છે.ગબ્બર ખાતે ઉડન ખટોલાની પણ સુવિધા આવેલી છે.

તાજેતરમાં થોડા દિવસ અગાઉ અંબાજી 108 ને કોલ મળ્યો હતો કે ગબ્બર ચાલતા જવાના માર્ગ પર વચ્ચે કોઈ યાત્રિકની તબિયત બગડી છે અને તેને છાતીના ભાગમાં દુઃખાવો ઉપડયો છે,ત્યારે અંબાજી 108 ના પાયલોટ ગુલાબસિંહ અને ઈએમટી અલકાબેન તાત્કાલિક ગબ્બર ખાતે 370 પગથીયાં ચઢીને તાત્કાલિક સારવાર આપીને દર્દીનો જીવ બચાવ્યો હતો ત્યારે 108 વિભાગ દ્વારા તેમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. દાંતા તાલુકાના કુંડેલ ગામના ગુલાબસિંહ પોતાના ગામનુ અને દાંતા તાલુકાનુ નામ રોશન કર્યું હતું.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા

જામનગર સંજીવ રાજપૂત, દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની…

1 of 585

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *