Latest

હર ઘર તિરંગા’ અભિયાનનો શુભારંભ

13 થી 15 ઓગષ્ટ સુધી ઉજવણી
ઘરમાં તિરંગો ફરકાવવા દેશવાસીઓને કરાશે પ્રોત્સાહિત

“છે શાંતિની ઓળખ
આ મારાં દેશનો તિરંગો
લેહરાવો આસમાનમાં
આ ભારતનો તિરંગો “

મોડાસામાં દેશભક્તિના ગીતો સાથે,સાથે હાથમાં આપણી આન -બાન -શાન આપણો તિરંગો લઈને ચાલતા દરેક વ્યક્તિમાં અને આ રેલી નિહાળનાર દરેકમાં રાષ્ટ્રભક્તીનો, દેશભક્તિનો જોશ અને જુસ્સો ઉમેરાઈ રહ્યો હતો

રીપોર્ટ કપિલ પટેલ અરવલ્લી

એક તરફ દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે અને બીજી બાજૂ નજીકમાં જ હવે સ્વતંત્રતા દિવસનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે સરકારે આ પ્રસંગે હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ કરાવ્યો છે.હાલમાં દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યું છે.

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે ‘હર ઘર તિરંગા ‘કાર્યક્રમ યોજાયો. જેમાં કે.એન.શાહ હાઈસ્કૂલથી મ.લા.ગાંધી કોલેજ કેમ્પસ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું. મોડાસામાં આ રેલી નીકળતા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો, દેશભક્તિના ગીતો સાથે,સાથે હાથમાં આપણી આન -બાન -શાન આપણો તિરંગો લઈને ચાલતા દરેક વ્યક્તિમાં અને આ રેલી નિહાળનાર દરેકમાં રાષ્ટ્રભક્તીનો, દેશભક્તિનો જોશ અને જુસ્સો ઉમેરાઈ રહ્યો હતો. મોડાસા શહેરમાં ઠેર ઠેર આ રેલીનું ફૂલોથી સ્વાગત, અભિવાદન  કરવામાં આવ્યું.

આ રેલીમાં માનનીય મંત્રી ભીખુસિંહજી પરમાર, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક,જિલ્લા પોલીસ વડાશૈફાલી બરવાલ,જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડીયા, નિવાસી અધિક કલેકટર એન.ડી પરમાર, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, પ્રાંત અધિકારી  મોડાસા, જિલ્લા શિક્ષણા અધિકારી, તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાન અને અધિકારીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ સાથે વિદ્યાર્થીઓ અને જાહેર જનતા જોડાઈ હતી.

દરેક ઘરે તિરંગા અભિયાનનુ આયોજન 13 ઓગષ્ટથી શરૂ થશે અને 15 ઓગષ્ટ સુધી ચાલશે.દેશમાં દરેક ઘરે તિરંગો ફરકાવવા માટે દેશવાસીઓને પ્રેરિત કરવામાં આવશે. મોટી સંખ્યામાં નાગરિકો આ અભિયાનમાં જોડાશે અને પોતાના ઘર પર દેશની આન બાન અને શાન એવો તિરંગો લહેરાવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *