Latest

હાઇકોર્ટની ફટકાર બાદ જેએમસી એક્શનમાં, 4 ટીમની રચના કરી 101 ઢોર પકડી પાંજરાપોળ ભેગા કર્યા

 

જામનગર: જામનગ૨ મહાનગ૨પાલિકા ધ્વા૨ા શહે૨માં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢો૨ોનો ત્રાસ દૂર કરવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને શહે૨ના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવા માટે ૪–ટીમોની રચના કરી, દૈનિક બે શિફટમાં કામગીરી કરવામાં આવે છે.

ચાલુ માસ દરમ્યાન કુલ–૧૦૧ ઢોરોને પકડવામાં આવેલ છે. તેમજ ચાલુ વર્ષે કુલ–૧૨૨૯ ઢોરોને પકડવામાં આવેલ છે અને કુલ–૭૪૫ ઢોરોને અમદાવાદ સ્થિત શ્રી ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવેલ છે.

આગામી સમયમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ રસ્તા ઉપ૨ ન છોડવા તાકીદ ક૨વામાં આવે છે અને જાહેર રોડ-રસ્તા ઉપર ખાનગી માલિકીના ઢોરો પકડાશે, તેવા કિસ્સામાં ઢોર માલિકો સામે દંડકીય કાર્યવાહી ઉપરાંત સી.આર.પી.સી. કલમ-૧૩૩ હેઠળ
ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે.

હાલે જામનગર મહાનગરપાલિકા ધ્વારા આવા આસામીઓ વિરૂધ્ધ પોલિસ ફરીયાદ દાખલ ક૨વા ત્રણ કર્મચા૨ીઓને સતા આપવામાં આવેલ છે. જેની દરેક ઢોર માલિકોએ સ્પષ્ટ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકા ધ્વારા જાણ ક૨વામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *