Latest

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ થયેલ પાટણ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી મોટીa સંખ્યામાં પાટણ સહિત મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતો પોતાના વિવિધ પાકોના ઉત્પાદનનું વેચાણ કરવા વાહનો મારફતે આવી પહોંચતા પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશો ની બમ્પર આવક થઈ હોવાની સાથે પાટણ માર્કેટ યાર્ડ દ્વારા પાટણ-ઊંઝા હાઇવે માર્ગ પર દિગડી ગામ નજીક હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલ તમાકુ યાડૅ માં પણ ૪૦ હજાર થી વધુ તમાકુ ની બોરી ની આવક થવા પામી હોવાનું ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું.

પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પાટણ માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજી, સાચું તોલ અને રોકડા નાણાં ના વહીવટ ને કારણે પાટણ પંથક સહિત મહેસાણા અને બનાસકાંઠા ના ખેડૂતો પણ વિશ્વાસ સાથે પોતાના ખેત ઉત્પાદન ના પાકોનું વેચાણ કરવા આવે છે.

ત્રણ દિવસની રજા બાદ મંગળવાર થી શરૂ થયેલ પાટણ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી જ ખેડૂતો વાહનો મારફતે પોતાના એરંડા,રાયડો ઘઉં સહિતની જણશો ના વેચાણ માટે આવી પહોંચતા અને માર્કેટ યાર્ડમાં વાહનોના ખડકલા ના કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે માર્કેટ યાર્ડના કર્મચારીઓ તેમજ સિક્યુરિટી ના જવાનો એ સુંદર આયોજન ગોઠવ્યું હતું.

તો પાટણ માર્કેટયાર્ડ દ્વારા પાટણ-ઊંઝા હાઇવે માર્ગ પર આવેલ દિગડી ગામ નજીક કાર્યરત કરાયેલા હંગામી તમાકુ યાડૅમા પાટણ પંથક સહિત બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતોને પોતાના તમાકાના ઉત્પાદન નું યોગ્ય વળતર મળી રહેતું હોય અંદાજીત ૪૦ હજારથી વધુ તમાકુની બોરીની આવક થઈ હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *