Latest

જેતપુર-જામકંડોરણા વિધાનસભા વિસ્તારના છ મુખ્ય રસ્તાઓના કામ માટે રૂ.૧૦૫ કરોડ મંજુર કરતા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

માનનીય કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડૉ.મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની સફળ રજૂઆત

જેતપુર-બગસરા રોડ, જામકંડોરણા-ખજુરડા-ટીંબડી-અરણી-ભાયાવદર-ખારચિયા રોડ, જેતપુર-મેવાસ-દૂધીવદર-જામકંડોરણા રોડ, ગોંડલ-ત્રાકુડા- જામકંડોરણા રોડ, જેતપુર-નવાગઢ સીટી લીમીટ રોડ, જેતપુર-નવાગઢ રોડ ઉપર રેલવે ક્રોસિંગ હયાત નાળાને અંડરબ્રીજ બનાવવાનો સમાવેશ

જેતપુર-જામકંડોરણાના પ્રજાજનો વતી માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરતા : માંડવિયા-રાદડિયા

જેતપુર-જામકંડોરણા વિધાનસભા વિસ્તારના ભારે વરસાદને કારણે રોડ રસ્તાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે માનનીય કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડો.મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરતા મુખ્યમંત્રીશ્રીએ રજૂઆતને ધ્યાને લઇ રૂપિયા ૧૦૫ કરોડ રસ્તાઓને નવીનીકરણ માટે મંજૂરી આપેલ છે.

આ તકે જેતપુર-જામકંડોરણાના પ્રજાજનો વતિ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા પોરબંદર સાંસદ ડો.મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *