Latest

જેએમસીની મિલ્કત વેરા શાખાની લાલ આંખ: બાકી રકમ માટે વોરંટ બજાવ્યા.

જામનગર: મિલકત વેરો ન ભરતા હોય તેવા લોકો સામે જામનગર મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા હરકતમાં આવી છે અને આવા લોકો સામે લાલ આંખ કરી છે. જામનગર મહાનગરપાલિકા મિલ્કત વેરા શાખા ઘ્વારા તા.૧/૯/૨૦૨૨ના રોજ બાકી રકમ માટે વિવિધ વોર્ડમાં અનુસૂચિ તથા વોરંટ બજાવવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં.ર માં ૧૭ મિલ્કતઘારકોની કુલ બાકી રકમ રૂ.૨,૬૪,૪૦૭/-ની વસુલાત માટે અનુસૂચિ બજાવેલ છે.

વોર્ડ નં.૧૩માં ર૧ મિલ્કતઘારકોની કુલ બાકી રકમ રૂ.૬,૧૩,૯૧૬/-ની વસુલાત માટે વોરંટ બજાવેલ છે. આમ, કુલ- ૮,૭૮,૩૨૩/-ની વસુલાત માટે વોરંટ અને અનુસૂચિની બજાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *