Latest

ગારિયાધાર તાલુકાના કલા ઉત્સવ – ૨૦૨૩ માં ભાગ લેનાર તમામ બાળકોને પરેશકુમાર હિરાણી દ્વારા સન્માનપત્ર અને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – ભાવનગર પ્રેરિત ગારિયાધાર તાલુકાના કલા ઉત્સવ – ૨૦૨૩ નું બી.આર.સી. ભવન – ગારિયાધાર ખાતે બી.આર.સી.કો.ઓ. ગિરિરાજસિંહ ગોહિલ તથા બી.આર.સી.ભવન પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગારિયાધાર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો એ ભાગ લીધો હતો. તાલુકા કક્ષાના કલા ઉત્સવ – ૨૦૨૩ માં ભાગ લેનાર તમામ બાળકોને પરવડી બ્રાન્ચ શાળા ના મદદનીશ શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી એ સ્વખર્ચે સન્માનપત્ર અને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

ગારિયાધાર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માં રહેલી વિશિષ્ટ શક્તિ ઓ બહાર આવે અને બાળકો વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી પોતાનું અને તાલુકાનું નામ રોશન કરે તેવા ઉમદા ભાવ સાથે પરેશકુમાર હિરાણી દ્વારા આ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું.

પરેશકુમાર હિરાણી નાં આ સરાહનીય કાર્ય બદલ બી.આર.સી.કો.ઓ. ગિરિરાજસિંહ ગોહિલ તથા સી.આર.સી.કો.ઓ. મુકેશભાઈ પરમાર અને સમગ્ર ગારિયાધાર તાલુકા શિક્ષક અને શિક્ષણ પરિવાર દ્વારા પરેશકુમાર હિરાણી ને અભિનંદન પાઠવવામાં આવ્યા.

રિપોર્ટર મહેશ ગોધાણી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *