Latest

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્રારા પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ગીર સોમનાથ દ્રારા તાઃ-૧૦-૦૧-૨૦૨૪ ના રેજ પ્રાકૃતિક કૃષિ મેળો-વિટેકનોલેજી પ્રદર્શન અને પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષશ્રી શ્રી રાજીવ જેન, યુનિટ હેડ, એસીએલ-અંબુજાનગર, શ્રી જીતુભાઈ પરમાર, પ્રમુખ તાલુકા પંચાયત-કોડીનાર, શ્રી વિશાલભાઈ ગાધે, તાલુકા પંચાયત ઉપપ્રમુખ-કોડીનાર, શ્રી અરવિંદમ ગૌસ્વામી, એચઆર હેડ, એસીએલ-અંબુજાનગર, શ્રી ડી.એસ.ગઢીયા,ના.ખે.ની. (વિસ્તરણ) અને પ્રોજેકટ ડાયરેકટર, આત્મા, ગીર સોમનાથ, શ્રી ડી.બી.વઘાસિયા, રીજનલ પ્રોગ્રામ ડાયરેક્ટર, એસીએફ-અંબુજાનગર, શ્રી નિલેશ ચાવડા, ઈન્ચાર્જ જીલ્લા ખેતીવાડી અધિકારી-ગીર સોમનાથ, શ્રી એ.એમ.કરમુર, નાયબ બાગાયત નિયામકશ્રી-ગીર સોમનાથ, શ્રી મનુભાઈ ગોહિલ, સાબરમતી આશ્રમ ગેંશાળા-કોડીનાર, શ્રી જતીનભાઈ દૂધાત અને શ્રી ઠાકરશીભાઈ ધાનાણી વગેરે મહેમાનશ્રીઓએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમની શરૂઆતમાં શ્રી જીતેન્દ્રસિંહ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રીએ ઉપસ્થિત સર્વેનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ. શ્રી એ.એમ.કરમુર એ ગુજરાત રાજયની બાગાયત ખાતાની સરકારશ્રીની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષશ્રી શ્રી રાજીવ જૈન એ સર્વોને વિકસીત ભારત બનાવવા માટે સ્વચ્છતા, પાણી સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યા હતો.

પ્રગતિશીલ ખેડૂતશ્રી ઠાકરશીભાઈ ધાનાણી એ પ્રાકૃતિક કૃષિ અન્વયે પોતાના અનુભવો વિશે માહિતગાર કર્યા હતા. શ્રી ડી.એસ.ગઢીયા એ પ્રાકૃતિક કૃપિની આવશ્યક્તા અને તેના ઘટકો વિશે વિસ્તૃત માર્ગદર્શન પરૂ પાડયુ હતુ. પ્રગતિશીલ ખેડૂતશ્રી જતીનભાઈ દૂધાત એ પ્રાકૃતિક કૃષિ અન્વયે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. શ્રી ડી.બી.વઘાસિયા એ કેવીક અને એસીએફ દ્રારા પ્રાકૃતિક કૃષિ અનવ્યે કરવામાં આવતી પ્રવૃતિઓ વિશે પ્રકાશ પાડ્યો હતો.

શ્રી મનુભાઈ ગોહિલ એ પ્રાકૃતિક ખેતીમાં પશુપાલનના મહત્વ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતિ શ્રી મનીપ બલદાણીયાએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનુ સફળ સંચાલન કેવીકેના પાક સંરક્ષણ નિષ્ણાંત શ્રી રમેશ રાઠોડએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ૪૨ જેટલા જુદા-જુદા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પેદાશોના પ્રદર્શન અને વેચાણ માટે અને જુદી-જુદી ટેકનોલોજીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાંથી અંદાજીત રૂા.૩,૦૦,૦૦૦/- નુ વેચાણ જુદા-જુદા સ્ટોલ ધારકો દ્રારા કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ૨૩૧૫ થી વધારે ખેડૂત ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કેવીકે, એસીએફ, બીસીઆઈ, સોરઠ મંડળી, આત્મા પ્રોજેકટ અને ખેતીવાડીની ટીમના તમામ સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 608

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *