Latest

‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત કચ્છના સુરજપર ખાતે વીરોને અંજલિ સાથે ગ્રામસભાનું આયોજન કરાયું

સુરજપર ગ્રામવાસીઓએ શિલાફલકમના લોકાર્પણ સાથે અમૃતવાટિકામાં વૃક્ષારોપણ કર્યું

‘મારી માટી, મારો દેશ’ અભિયાનની આજથી શરૂઆત થઈ છે. વીર શહીદોને વંદન અર્થે કચ્છના ભુજ તાલુકાના સુરજપર ખાતે અમૃત સરોવરના કાંઠે રાષ્ટ્રની એકતા અને એકસૂત્રતાને મજબૂત કરવા માટે માટીને નમન,વીરોને વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સૌ ગ્રામજનોએ ઉપસ્થિતિ રહીને વીર શહીદોને નમન સાથે અંજલિ આપીને તેમની યાદમાં શિલાફલકમનું લોકાર્પણ કર્યું હતું.

ગ્રામ સરપંચશ્રી ચેતનાબેન પીંડોરીયાના હસ્તે ધ્વજવંદન કરીને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે સહકારી અધિકારીશ્રી વી.કે.ચૌહાણ તથા ઉપસરપંચશ્રી પ્રિતેશભાઇ હિરાણીની ઉપસ્થિતિમાં શિલાફલકમના લોકાર્પણ સાથે ગ્રામજનોએ વીરોને અંજલી આપીને તેના બલિદાન તથા દેશસેવાને યાદ કરી હતી.

આ સાથે જ અમૃતવાટીકામાં વસુધા વંદન કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગ્રામસભામાં ગ્રામજનોએ ભાગ લઇને પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી. નાગરિકોએ સેલ્ફી લઇને માતૃભૂમિ માટે રોજરોજ સમયની દરેકક્ષણ અને જીવનનો પ્રત્યેક કણ સમર્પિત કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મેળવ્યું

અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્ય કક્ષાએ કપોળ કન્યા છત્રાલયની દીકરીઓએ અભિનયના ઓજસ…

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉપસરપંચે ઉચ્ચ…

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

સાવરકુંડલા –જીકીયાળી રોડ માટે ₹૪.૯૦  કરોડ મંજૂર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ…

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું

ગોપાલભાઈ ઇટાલીયા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે પ્રેમપરાથી…

ગીર (પૂર્વ) વન વિભાગ ધારી દ્વારા ‘માનવ-વન્યપ્રાણી સંઘર્ષ નિવારણ’ પર વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન

ધારી ખાતે નાયબ વન સંરક્ષકશ્રી વિકાસ યાદવ.(IFS) ની અધ્યક્ષતામાં  સેમિનાર સંપન્ન…

1 of 620

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *