Latest

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા અમદાવાદ મિલિટરી સ્ટેશન, અમદાવાદ ખાતે સશસ્ત્ર દળોના ઈએસએમ માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

જેથી રોજગારની તકો શોધતા ઈએસએમ/નિવૃત્ત કર્મચારીઓ અને કોર્પોરેટ સંસ્થાઓને એક સામાન્ય પ્લેટફોર્મ પર લાવી શકાય. આ કાર્યક્રમને અમદાવાદ અને નજીકના પ્રદેશોના ઈએસએમ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. આર્મી, નેવી અને એરફોર્સના 1100 થી વધુ ઈએસએમ એ રોજગાર મેળવવા માટે નોંધણી કરાવી અને આ કાર્યક્રમમાં હાજરી આપી હટીમ 70 કંપનીઓએ નોંધણી કરાવી જ્યારે 50 કંપનીઓએ રોજગાર મેળામાં ભૌતિક રીતે ભાગ લીધો જેમાં 1000 થી વધુ નોકરીની ખાલી જગ્યાઓ ઓફર કરવામાં આવી.

શોર્ટલિસ્ટ થયેલા ESMનો ઇન્ટરવ્યુ/સ્ક્રિનિંગ કરવામાં આવશે અને ત્યારબાદ સુપરવાઇઝરી, ટેકનિકલ સપોર્ટ, જુનિયરથી લઈને સિનિયર મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન અને ડિરેક્ટર્સ સુધીની વિવિધ ભૂમિકાઓમાં નિયુક્ત કરવામાં આવશે.

આ ઇવેન્ટ કોર્પોરેટ અને ઈએસએમ બંને માટે ફાયદાકારક હતી. જ્યારે ઈએસએમ ને તેમના વર્ષોના સેવાકાળ દરમિયાન પ્રાપ્ત કરેલી ટેકનિકલ અને વહીવટી કુશળતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ મળ્યું, જેનાથી કોર્પોરેટ્સને અનુભવી, શિસ્તબદ્ધ અને કુશળ ઈએસએમના સમૂહની તપાસ કરીને ફાયદો થયો.

મેજર જનરલ ગૌરવ બગ્ગા, જીઓસી 11 રેપીડ અને કમાન્ડર વિક્રાંત કિશોર, પ્રિન્સિપલ ડિરેક્ટર, ડિજીઆર સાથે મળીને એએસએમ અને કોર્પોરેટ પ્રતિનિધિઓને સંબોધિત કર્યા.

આ કાર્યક્રમ દરમિયાન વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલ, GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અપૂર્વ શાહ, નેક્સસ ગ્રુપના ડિરેક્ટર અને GCCIના ભૂતપૂર્વ પ્રમુખ પથિક પટવારી, અદાણી પાવર અને AESLના સિક્યુરિટી હેડ કર્નલ વિજય પાંડે પણ હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *