Latest

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થતા મુંબઈના ભક્તોએ આવી રીતે માનતા પૂર્ણ કરી

વરસાદ ચાલુ હોવા છતાં ભક્તો બોલ મારી અંબેના નાદ સાથે ગબ્બર ખાતે આવ્યા
અંબાજી મંદિરમા 3 માર્ચથી મોહનથાળ પ્રસાદ બંધ થવાથી માઇ ભક્તોની લાગણી ભારે દુભાઈ હતી. અંબાજી મંદિરમાં હાલમાં મોહનથાળનો પ્રસાદ ભક્તોને મળતો થઈ ગયો છે ત્યારે મુંબઈની મહિલાઓ દ્વારા માનતા માનવામાં આવી હતી કે અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ શરૂ થશે તો મુંબઈથી અંબાજી આવીને માતાજીના દર્શન કરીશું અને ત્યારબાદ ગબ્બરના 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં દરેક મંદિર ઉપર માતાજીને સાડી ધરાવીશું આજે ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા માવરસાદ ચાલુ હોવા છતાં મુંબઈના 51 જેટલા ભક્તો હાથમાં સાડી લઈને 1800 પગથિયા ચાલીને અઢી કિલોમીટર લાંબી પરિક્રમા મહોત્સવ બાદ ફરીથી પરિક્રમા કરવા આવ્યા હત
અંબાજી થી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત માતાજીનું મુળ સ્થાનક આવેલું છે. અહીં શનિવારે સાંજે મુંબઈના 51 ભક્તો જેમાં મહિલાઓ પણ સામેલ હતી. ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્ણ થયા બાદ પણ ભક્તો હાલમાં પરિક્રમા કરવા આવી રહ્યા છે. જ્યારે અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ બંધ થયો ત્યારે મુંબઈની મહિલાઓ દ્વારા માનતા માનવામાં આવી હતી કે અંબાજી મંદિરમાં મોહન પ્રસાદ શરૂ થશે તો અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા આવીશું અને ગબ્બર 51 શક્તિપીઠના 50 મંદિરમાં માતાજીને સાડી અર્પણ કરીશું ત્યારે આજે મુંબઈની મહિલાઓ અને પુરુષો ગબ્બર ખાતે આવીને પરિક્રમા કરી હતી અને દરેક મંદિરમાં સાડી અર્પણ કરી હતી.

વરસાદ ચાલુ હોવા છતાં ભક્તો બોલ મારી અંબેના નાદ સાથે મુંબઈ અને મહારાષ્ટ્ર થી અંબાજી ગબ્બર ખાતે આવ્યા હતા. આ ગ્રુપમાં 7 વર્ષની બાળકીથી લઈને 85 વર્ષના લોકો સામેલ હતા.દમયંતીબેન પટેલ,અને શિલ્પાબેન અગ્રવાલ સહિત ભક્તો મોટી સંખ્યામાં અંબાજી પહોંચ્યા હતા. ગબ્બર 51 શક્તિપીઠ ના પૂજારી દિવ્યાંગ ભાઈ શાસ્ત્રી દ્વારા ગબ્બર એન્ટર ચોક ખાતે આરતી કરવામાં આવી હતી. મુંબઈ થી આવેલી મહિલાઓ ગબ્બર ખાતે માતાજીના ગરબા

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *