Latest

નાની બાળા ના મોળા વ્રત શરૂ થતાજ બજારમાં સૂકા મેવા આવી જતા હોય છે…

 

જયા પાર્વતી વ્રત ને હવે થોડા દિવસોની વાર છે ત્યારે બજારમાં સુકામેવાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે.ઉપવાસ માં ખવાતા ડ્રાયફ્રૂટ્સ નો જથ્થો હાલ બજાર માં આવી રહ્યો છે.જોકે આ વર્ષે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં ગતવર્ષની સરખામણીમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો ઘટાડો થયો છે.તે છતાંપણ બજાર માં ડ્રાય ફ્રૂટ્સ ની ખીરીદી માં ઘટાડો નોંધાયો છે.

અરુણા વ્રત શરૂ થતા જ બજારમાં સુકામેવા પણ આવી જતા હોય છે .અલુણા બાદ તહેવારોની સિઝન પણ શરૂ થઈ જતી હોય છે . મોટાભાગે યુવતીઓ અને બાળકીઓ ઉપવાસ કરતી હોવાથી ખાસ તેઓ ના પાંચ દિવસ સૂકો મેવો ખાતી હોય છે. ગત વર્ષે કોરોના બાદ સુકામેવામાં ૧૫ થી ૨૦ ટકા જેટલો વધારો થયો હતો, ત્યારે તેની કમ્પેરીઝનમાં આ વર્ષે સુકામેવામાં ભાવોમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો ઘટાડો થયો છે.

કાજુ, બદામ, પિસ્તા, અંજીર ,અખરોટ અને આલુ આ તમામ ડ્રાયફ્રુટ આ વર્ષે થોડા સસ્તા થયા છે .જોકે ડ્રાયફ્રુટ ના ભાવોમાં ઘટાડો થયો હોવા છતાં હજુ પણ બજારમાં તેની ખરીદી જોવા મળી રહી નથી.ગયા વર્ષ અફઘાનિસ્તાન ડ્રાય ફ્રૂટ્સ વાયા થઈ ને આવતા હતા. તેથી તેના ભાવો માં વધારો થયો હતો.

જો કે આ વર્ષે ડ્રાયફ્રૂટ ડાયરેક્ટ આવતા હોવાથી તેના ભાવોમાં ૧૦ થી ૧૫ ટકાનો ઘટાડો થયો છે અને કોરોના બાદ આ વખતે ડ્રાયફ્રુટની ક્વોલિટી પણ ખૂબ જ સારી આવી છે.

તે છતાં પણ હજુ સુધી બજારમાં ડ્રાયફ્રુટની ખરીદી નીકળી નથી. જો કે હાલ લોકો છૂટક ખરીદી કરી રહ્યા છે.આગામી દિવસોમાં સારી ખરીદી નીકળે તેવી અમને આશા છે.

જયા પાર્વતી વ્રત ને હવે થોડા દિવસમાં બાકી છે… આલુના વ્રત શરૂ થતાજ બજારમાં સૂકા મેવા આવી જતા હોય છે… ઉપવાસમાં ખાવાતા ડ્રાયફૂટ નો જથ્થો હાલ બજારમાં આવી ગયો છે….

વર્ષ કોરોના બાદ સુકા મેવામાં ૧૫ થી ૨૦ ટકા જેટલો વધારો થયો..આ વર્ષે સુકામેવાના ભાવમાં ૧૫ થી ૨૦ ટકા જેટલો ઘટાડો થયો છે… કાજુ બદામ પિસ્તા અંજીર અખરોટ અને આલુ આ તમામ ડ્રાયફ્રૂટ આ વર્ષે થોડા સસ્તા થયા છે..

બજારમાં ડ્રાયફ્રુટ ની ખરીદી હજુ નીકળી નથી…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *