Breaking NewsLatest

ઝૂલતા પુલ દુર્ઘટના ને લઈ ને મોરબી ચીફ ઓફિસર નું પોલીસ દ્વારા નિવેદન શરૂ

 

 

મોરબી : 135 લોકોનો જીવ લેનારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં આજથી તપાસ વેગવંતી બની હોવાના અણસારો વચ્ચે તપાસનીશ અધિકારી ડીવાયએસપી ઝાલા દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

મોરબીમા 30 ઓક્ટોબરના રોજ ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં પુલ રીનોવેશન કરવાની સાથે સાર સંભાળની જવાબદારી લેનાર ઓરેવા કંપનીના બે મેનેજર સહિત નવ આરોપીઓ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ અને ધરપકડ બાદ તપાસનો દૌર આજે આગળ વધ્યો હોય તેમ નાયબ જિલ્લા પોલીસવડા અને તપાસનીશ અધિકારી દ્વારા આજે નગરપાલિકાના ચીફ ઓફિસરની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે નગરપાલિકા અધિનિયમની જોગવાઈ મુજબ કોઈપણ કરાર કે કોન્ટ્રાકટ માટે જનરલ બોર્ડની મંજૂરી જરૂરી હોય છે પરંતુ ઝૂલતો પુલ રીપેરીંગ અને પુનઃ શરૂ કરવાના આ કિસ્સામાં જનરલ બોર્ડ જ મળ્યું ન હોય ઠરાવ કર્યા વગર જ બારોબાર ઓરેવા કંપનીને કામ સોંપી દેવામાં આવ્યું હોય તે સહિતની બાબતોને લઇ પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

અહેવાલ અભિષેક પારેખ મોરબી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા

જામનગર સંજીવ રાજપૂત, દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની…

1 of 699

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *