Latest

નર્મદા મૈયા બ્રિજ પર થયેલ અકસ્માતને લઈને જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાની સ્થળપ્રદ મુલાકાત લીધી

સલામતીના ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહનચાલકો ૪૦ કિ.મી/કલાકની ઝડપે જ વાહન હંકારી શકશે: જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા

જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ નર્મદા મૈયા બ્રિજ પર એસ ટી સહીત અન્ય સાધનોના છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા અકસ્માતોને પગલે ટીમ ભરૂચના સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે સ્થળપ્રદ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે નર્મદા મૈયા બ્રિજ પર બનેલ અકસ્માતના કારણો જાણવા સંબંધિત વિભાગના અધિકારી સાથે વિચારવિમર્શ કર્યા હતા.તથા અકસ્માતના બનાવ ન બને તે માટે નિવારાત્મક  પગલાં લેવા પર સુચના આપી હતી. આ ઉપરાંત સલામતીના ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહનચાલકો ૪૦ કિ.મી/કલાકની ઝડપે જ વાહન હંકારી શકશે તેમ તેમણે જણાવ્યું હતું.વધુમાં તેમણે સ્પીડ લીમીટ દર્શવાતા સાઈન બોર્ડ પણ લગાવવાની સૂચના આપી હતી.આ ઉપરાંત સરફેસ રફ કરવા અંગે પણ સંબંધિત અમલીકરણ અધિકારીને સ્થળ પર જ સૂચના આપી હતી.

આ વેળાએ પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ,  ભરૂચ પ્રાંત અધિકારી શ્રી યુ એન જાડેજા સહીત જી એસ આર ટી સી  વિભાગ, વાહન વ્યવહાર વિભાગ,માર્ગ અને મકાન વિભાગ વગેરે વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મેળવ્યું

અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્ય કક્ષાએ કપોળ કન્યા છત્રાલયની દીકરીઓએ અભિનયના ઓજસ…

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉપસરપંચે ઉચ્ચ…

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

સાવરકુંડલા –જીકીયાળી રોડ માટે ₹૪.૯૦  કરોડ મંજૂર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ…

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું

ગોપાલભાઈ ઇટાલીયા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે પ્રેમપરાથી…

ગીર (પૂર્વ) વન વિભાગ ધારી દ્વારા ‘માનવ-વન્યપ્રાણી સંઘર્ષ નિવારણ’ પર વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન

ધારી ખાતે નાયબ વન સંરક્ષકશ્રી વિકાસ યાદવ.(IFS) ની અધ્યક્ષતામાં  સેમિનાર સંપન્ન…

1 of 620

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *