Breaking NewsLatest

એન.ડી.આર.એફ. ટીમે ઘોઘા, કુડા અને કોળીયાક ગામની મુલાકાતે

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદની શક્યતાના પગલે એન.ડી.આર.એફ.ની ટીમો તૈનાત કરવામાં આવી છે તે અંતર્ગત ભાવનગર ખાતે મૂકવામાં આવેલી એન.ડી.આર.એફ.ની ટીમે આજે ઘોઘા, કુડા અને કોળીયાક ગામની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા ભૂતકાળમાં પણ કુદરતી હોનારતો સમયે આગવી અને કૂનેહપૂર્વકની કામગીરી માટે નામના મેળવેલી છે અને કુદરતી આપત્તિના સમયે તેમના અદમ્ય સાહસ અને નિપુણતાના સહારે મોટી જાનહાની નિવારી શકાય છે.

ઘોઘા તાલુકો દરિયા કિનારે છે ત્યારે દરિયાઈ વિસ્તારોની મુલાકાત લેવા સાથે આ ટીમે ગામની વિવિધ શેરીઓ અને મહોલ્લાઓમાં ફરીને કઈ રીતે રાહત બચાવની કામગીરી હાથ ધરી શકાય તે અંગેની વિગતો મેળવી હતી.

તેમની આ મુલાકાતમાં ઘોઘાના મામલતદાર શ્રી એ.આર. ગઢવી પણ ટીમની સાથે રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 692

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *