Latest

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૯ મી ડિસેમ્બરના રોજ ગોધરા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને પોતાના અભ્યાસ પ્રમાણે રોજગારી મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિયમિત રીતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે.

જે અંતર્ગત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા અનુબંધમ અને એન.સી.એસ. પોર્ટલના માધ્યમથી આગામી તા.૦૯/૧૨/૨૦૨૪ ના સોમવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ગોધરા તાલુકાના રામપુરા (કાંકણપુર) માં ફાર્મસી કોલેજની પાછળ આવેલ જી.આઇ.એ આઇ.ટી.આઇ, રામપુરા ખાતે મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાનાર છે.

આ રોજગાર ભરતી મેળામાં એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ, ડિપ્લોમા અને સ્નાતક (ગ્રેજ્યુએટ) ની લાયકાત ધરાવતા ૧૮ થી ૩૨ વર્ષની વયમાં આવતાં હોય તેવા તમામ રોજગાર વાંચ્છુક પુરૂષ અને મહિલા ઉમેદવારોને તેમના બાયોડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે રૂબરૂ હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા જિલ્લા વિનિમય રોજગાર કચેરી,પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે રામપુરા (કાંકણપુર) ખાતે યોજાનાર રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતા કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ ઉપર જ ઉમેદવારોની પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *