 એબીએનએસ, પાટણ :.પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના રાશનકાર્ડ ધારકો માટે ચાલતી ઈ- કેવાયસી પ્રક્રિયા સરકારી સર્વર ડાઉન થવાથી વારંવાર બંધ થઈ જતાં નાગરિકો હેરાન પરેશાન બન્યા છે. પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો રેશનકાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે વારંવાર પુરવઠા વિભાગ ની કચેરીનો સંપર્ક કરે છે
એબીએનએસ, પાટણ :.પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના રાશનકાર્ડ ધારકો માટે ચાલતી ઈ- કેવાયસી પ્રક્રિયા સરકારી સર્વર ડાઉન થવાથી વારંવાર બંધ થઈ જતાં નાગરિકો હેરાન પરેશાન બન્યા છે. પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો રેશનકાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે વારંવાર પુરવઠા વિભાગ ની કચેરીનો સંપર્ક કરે છે
 પરંતુ સરકારનું ઈ- કેવાયસી સર્વર ડાઉન હોવાથી રાશન કાર્ડમાં ઈ-કેવાયસી થઈ શકતી નથી જેને કારણે લોકો ને ધકકા ખાવા નો વારો આવ્યો છે. પાટણ શહેર અને ગ્રામ્યના પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ સવૅર ડાઉન મામલે જણાવવામાં આવે છે
પરંતુ સરકારનું ઈ- કેવાયસી સર્વર ડાઉન હોવાથી રાશન કાર્ડમાં ઈ-કેવાયસી થઈ શકતી નથી જેને કારણે લોકો ને ધકકા ખાવા નો વારો આવ્યો છે. પાટણ શહેર અને ગ્રામ્યના પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ સવૅર ડાઉન મામલે જણાવવામાં આવે છે
 કે નાગરિકો રાશનકાર્ડમાં ઈ-કેવાયસી કરવા આવે છે ત્યારે સર્વર ડાઉન અને આધાર કાર્ડ એરર આવતી હોવાથી ઈ-કેવાયસી થઈ શકતું નથી. પાટણ શહેરમાં આવેલા રાશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવા માટેના રાશનકાર્ડ ની દુકાનો તેમજ પુરવઠા કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનું ઈ-કેવાયસી સર્વર વારંવાર બંધ થઈ જતા લોકોને ધકકા ખાવા પડી રહ્યા છે.
કે નાગરિકો રાશનકાર્ડમાં ઈ-કેવાયસી કરવા આવે છે ત્યારે સર્વર ડાઉન અને આધાર કાર્ડ એરર આવતી હોવાથી ઈ-કેવાયસી થઈ શકતું નથી. પાટણ શહેરમાં આવેલા રાશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવા માટેના રાશનકાર્ડ ની દુકાનો તેમજ પુરવઠા કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનું ઈ-કેવાયસી સર્વર વારંવાર બંધ થઈ જતા લોકોને ધકકા ખાવા પડી રહ્યા છે.
 ગુજરાત સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવેલ છે અને તેની છેલ્લી તારીખ પણ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત સરકારનું સર્વર જે છે તે ચાલતું ન હોવાથી વારંવાર બંધ થઈ જતાં રાશનકાર્ડ ધારકો પોતાના કામ ધંધા છોડીને પણ ઈ-કેવાયસી કરવા આવે છે.
ગુજરાત સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવેલ છે અને તેની છેલ્લી તારીખ પણ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત સરકારનું સર્વર જે છે તે ચાલતું ન હોવાથી વારંવાર બંધ થઈ જતાં રાશનકાર્ડ ધારકો પોતાના કામ ધંધા છોડીને પણ ઈ-કેવાયસી કરવા આવે છે.
 પરંતુ ઈ-કેવાયસી થઈ શકતું નથી જેના કારણે તેઓને સમય ના બગાડની સાથે સાથે હેરાન પરેશાન થઈને પાછા જવું પડી રહ્યું છે.પાટણ શહેર અને ગ્રામ્યના નાગરિકો ની માંગ છે કે સરકારે પહેલા પોતાના ઓનલાઈન ઈ-કેવાયસી ની પ્રક્રિયા એટલે કે સર્વર ની કામગીરી સુવ્યવસ્થિત કરી પછીજ આ કામગીરી ચાલુ કરવી જોઈએ.
પરંતુ ઈ-કેવાયસી થઈ શકતું નથી જેના કારણે તેઓને સમય ના બગાડની સાથે સાથે હેરાન પરેશાન થઈને પાછા જવું પડી રહ્યું છે.પાટણ શહેર અને ગ્રામ્યના નાગરિકો ની માંગ છે કે સરકારે પહેલા પોતાના ઓનલાઈન ઈ-કેવાયસી ની પ્રક્રિયા એટલે કે સર્વર ની કામગીરી સુવ્યવસ્થિત કરી પછીજ આ કામગીરી ચાલુ કરવી જોઈએ.
 
            















