Latest

પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન બદલ સંજીવ રાજપૂતને સન્માનિત થવા બદલ અભિનંદન

જામનગર ખાતે મા મીડિયા હૉઉસ અને જેપીટીપીના સાહિયારે રાષ્ટ્રીય માનવતા ગૌરવ 2023 નું ભવ્ય આયોજન તેજેન્દ્રસિંહ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કોરોના કાળમાં તેમજ સમાજને અને લોકોને ઉપયોગી કાર્યો કરતા અને પોતાનું યોગદાન આપનાર વ્યક્તિઓ/મીડિયાકર્મીઓનું સન્માન બૉલીવુડ ટેલિવુડના અભિનેતા-અભિનેત્રી દ્વારા પુરસ્કૃત કરી કરવામાં આવ્યું હતું.

છેલ્લા 20 વર્ષથી ઉપર પત્રકારત્વ ક્ષેત્ર સાથે સંકળાયેલ અને ગુજરાતભરમાં સક્રિય અનુભવી પત્રકાર સંજીવભાઈ રાજપૂતને પણ મીડિયા જગતમાં તેમના અમૂલ્ય યોગદાન આપવા બદલ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ભારત ભરના અખબારો, ન્યૂઝ ચેનલ, વેબ મીડિયા તેમજ પત્રકારોના હિત માટે સક્રિય સંસ્થા એબીપીએસએસ સાથે સંકળાયેલા છે અને જીએનએ ન્યૂઝ એજન્સીના સીઈઓ તરીકે કાર્યભાર સંભાળે છે.

તેમના પત્રકારત્વના કાર્ય સાથે સતત સંકળાયેલા રહી રાજ્યભરના તમામ મીડિયા જગતમાં પોતાનું યોગદાન આપવા બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા જે મીડિયા જગત માટે સરાહનીય છે. તેઓને મળેલ સન્માન બદલ અમે સંજીવભાઈ રાજપૂતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. તેઓ વધુ જીવનમાં આગળ વધે અને પ્રગતિના શિખરો સર કરે તેવી આશા રાખીએ છીએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *