Latest

પીએચડીની પદવી મેળવી જામનગર સહિત રાજ્યના સતવારા સમાજનું ગૌરવ વધારતા શિવાનીબેન પરમાર.

જામનગર: જામનગરના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ગુલાબનગર સતવારા સમાજના પ્રમુખશ્રી જશરાજભાઇ પરમારની દિકરી તેમજ હાલ જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરશ્રી તપનભાઇ જે.૫૨મા૨ની બહેન શિવાનીબેન પરમારે એમ.એ., એમ.ફીલ. અને હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુર્નિવસીટી પાટણ થી પી.એચ.ડી. ઇન ઇકોનોમીકસ (અર્થશાસ્ત્ર) ની પદવી મેળવી છે. તેઓનો પી.એચ.ડી.નો વિષય

જામનગર જીલ્લાના ગૃહ ઉદ્યોગમાં કામ કરતી મહિલા કામદારોના આર્થિક પાસાનો વિશ્લેષણાત્મક અભ્યાસ કરેલ છે. તેઓને આ ડીગ્રી મેળવી સમગ્ર સતવારા સમાજનું તેમજ પરિવારનું નામ રોશન કરેલ છે. શિવાનીબેનના માર્ગદર્શક તરીકે આચાર્ય ડો. રોહીતકુમાર એમ.દેસાઇ હતા.

શિવાનીબેન હાલમાં જામનગર શહેરમાં આવેલ મહિલા કોલેજમાં આસી. પ્રોફેસ૨ ત૨ીકે ફરજ બજાવે છે. તેઓએ પીએચડી થતા ઘરના સ્નેહીજનો અને મિત્રો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેવી આશા સાથે તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *