Latest

પોળો અભાપુર ખાતે ૧૫ ઇ-રીક્ષાનુ લોકાર્પણ કરતા જિલ્લા વિકાસ અધિકારીશાહ

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા જિલ્લાના કશ્મિર ગણાતા વિજયનગરના પોળોના જંગલમાં દિન-પ્રતિદીન સહેલાણીઓ વધી રહ્યા છે.

જિલ્લાનુ અને સમગ્ર ઉત્તર ગુજરાતનુ એક માત્ર કુદરતી સૌદર્યની સમૃધ્ધિ ધરાવતા આ ઔતિહાસિક વિરાસત સમા વિસ્તાર અભાપુરમાં જિલ્લા વિકાસ અધિકારી શાહના હસ્તે ૧૫ ઇ-રીક્ષાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


વિજયનગર વિસ્તારના અભાપુર ખાતે ઇ- રીક્ષા લોકાર્પણ વખતે જિલ્લા વિકાસ અધિકારી શાહે જણાવ્યું હતું કે, પોળો સાબરકાંઠા જિલ્લાનુ મુખ્ય પર્યટન સ્થળ છે અને વિપુલ કુદરતી સૌદર્યનો ભંડાળ છે. આ વિસ્તારમાં પ્રદુષણ ના ફેલાય અને તે જોવાનુ સ્થાનિકો અને વહિવટી તંત્રની જવાબદારી છે. શુધ્ધ હવા એ દરેક જીવનો અધિકાર છે અને તેનુ સંવર્ધન એ આપણા સૌની સહિયારી જવાબદારી બને છે. ઇ-રીક્ષા થકી પર્યાવરણની જાળવણી થાય છે.

 

વાતાવરણ પ્રદૂષણ મુક્ત બનશે. આ વિસ્તારના લોકોને રોજગારી મળવાની સાથે બહારથી સહેલ માણવા આવતા લોકોને નવી સવલત મળશે.
આ પ્રસંગે સ્થાનિકો, આસપાસના ગ્રામજનો અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *