Latest

પોળો અભાપુર ખાતે ૧૫ ઇ-રીક્ષાનુ લોકાર્પણ કરતા જિલ્લા વિકાસ અધિકારીશાહ

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા જિલ્લાના કશ્મિર ગણાતા વિજયનગરના પોળોના જંગલમાં દિન-પ્રતિદીન સહેલાણીઓ વધી રહ્યા છે.

જિલ્લાનુ અને સમગ્ર ઉત્તર ગુજરાતનુ એક માત્ર કુદરતી સૌદર્યની સમૃધ્ધિ ધરાવતા આ ઔતિહાસિક વિરાસત સમા વિસ્તાર અભાપુરમાં જિલ્લા વિકાસ અધિકારી શાહના હસ્તે ૧૫ ઇ-રીક્ષાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


વિજયનગર વિસ્તારના અભાપુર ખાતે ઇ- રીક્ષા લોકાર્પણ વખતે જિલ્લા વિકાસ અધિકારી શાહે જણાવ્યું હતું કે, પોળો સાબરકાંઠા જિલ્લાનુ મુખ્ય પર્યટન સ્થળ છે અને વિપુલ કુદરતી સૌદર્યનો ભંડાળ છે. આ વિસ્તારમાં પ્રદુષણ ના ફેલાય અને તે જોવાનુ સ્થાનિકો અને વહિવટી તંત્રની જવાબદારી છે. શુધ્ધ હવા એ દરેક જીવનો અધિકાર છે અને તેનુ સંવર્ધન એ આપણા સૌની સહિયારી જવાબદારી બને છે. ઇ-રીક્ષા થકી પર્યાવરણની જાળવણી થાય છે.

 

વાતાવરણ પ્રદૂષણ મુક્ત બનશે. આ વિસ્તારના લોકોને રોજગારી મળવાની સાથે બહારથી સહેલ માણવા આવતા લોકોને નવી સવલત મળશે.
આ પ્રસંગે સ્થાનિકો, આસપાસના ગ્રામજનો અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *